SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ 271 - દેવતા તરત દેવમાયા સંકેલી લઈ વહાણ સ્વસ્થ કરી દઈ અહંન્નકની આગળ આવી નમી પડી હાથ જોડીને કહે છે - " હે મહાન શ્રાવક અહંનક! મને ક્ષમા કરો. સ્વર્ગમાં ઈન્દ્ર તમારી ધર્મશ્રદ્ધાના તમારા સમ્યકત્વના ગુણ ગાયા તે મારાથી સહન ન થઈ શકયા, એટલે મેં તમારી પરીક્ષા કરવા તમને આટલે ત્રાસ આપે. હું તમારી ક્ષમા માગું છું. ધન્ય છે તમારી આટલી બધી નિશ્ચલ જૈનધર્મ-શ્રદ્ધાને ! એના બદલામાં તમે જે જોઈએ તે માગે. હું તમારું શું પ્રિય કરું?” અહંનક કહે “મારે તે સમ્યકત્વ નિર્મળ કરવાની તક મળી, એટલે તમે મારું કાંઈ જ બગાડ્યું નથી, તમારે શાની ક્ષમા માગવાની? મારે કાંઈ જ જોઈતું નથી. મારે મારી ધર્મશ્રદ્ધા–સમ્યકત્વથી વધીને જગતમાં શું કિંમતી છે કે સમકિતના બદલામાં એની ચાહના રાખવાની હોય?” અહંનક આ કેમ કહી શકે છે? કહે, એટલા જ માટે કે એના સમ્યકત્વ ધર્મની સાધના નિરાશસભાવથી છે. દેવતા ખૂબ આગ્રહ કરે છે પરંતુ અહંન્નકને મન ધર્મશ્રદ્ધા એ પરમ નિધાન છે, એટલે શું કામ એનાથી નીચેની બીજી કશી વસ્તુની ચાહના કરે કે લલચાય અને એ માગે?
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy