SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તે આ ભયંકર આક્ત જેવાના દિવસ આવ્યા. વિષયને લભ છે. હવે તે જ્યારે માથેથી કલંક ઊતરે એટલે સંસારને ત્યાગ કરી ચારિત્ર જ લઈ લેવાનું.” આમ સીતાજીએ આ ભયંકર દુઃખમાં કારણ તરીકે પિતાના લેભને જે, એટલે પતિ રામચંદ્રજી પર જરાય ગુસ્સો કે અભાવ કરવાને રહ્યો નહિ. પિતાના અશુભ કર્મને પણ બહુ જવાબદાર ન લેખ્યા, તેથી દીન દુખિયારા ન બન્યા. આ ફરક છે - તમે કમેને દેષ દેવા જાઓ કે " હાય! મારા અશુભ કર્મ જ એવા કે આ દુઃખ આવ્યું!” તે તમે દીનહીન બની જવાના. શું? દુઃખમાં કર્મને દોષ દેખશે તે દીનતા આવશે, પરંતુ જો તમે તમારી કોઈ ભૂલને દેશને કે પાપને જવાબદાર સમજો તે દીન ન બનતાં હવે એ ભૂલ-દોષ-પાપ સુધારી લેવા તરફ તમન્ના જાગશે. સીતા દીન નથી બન્યા અને આગળ પર દિવ્ય કર્યા પછી લેકમાં યશ ગવાઈ ગયે, કલંક ઊતરી ગયું, પતિ વગેરે મહેલમાં પધારવા આગ્રહ કરે છે, દુઃખના દહાડા ગયા હવે ભારે માનભેર ઠરીઠામ બેસવાનો અવસર આવ્યો છે, છતાં એ બધું પડતું મૂકી સીધા ચારિત્ર લેવા ત્યાં ને ત્યાંથી જ નીકળી પડયા! એ સૂચવે છે કે એમણે પહેલાં જ સંસાર
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy