SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( નવકાર )નું પણ રહસ્ય પ્રથમ પદ નમો રિહંતા માં છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ આજે વસ્તુ કહી છે. નમ રહંતા નું પણ રહસ્ય અરિહંત પદ અને તેનું રહસ્ય બાર છે. તાત્પર્ય કે બાર ગુણોનું આલંબન લીધા વિના શ્રી અરિહંત પરમાત્મા કદાપિ બુદ્ધિ વડે પકડાય તેવા નથી. બાર ગુણાના આલંબન વિનાનું શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન તે શ્રી જિનાક્ત સાવશ અને નિગ્રંથભાવ વિનાના માણસને સાધુ માનીને તેની ઉપાસના કરવા બરાબર છે. બાર ગુણ અને અરિહંતના અવિનાભાવ સંબંધ છે. કવલજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તીર્થકરને 12 ગુણ પ્રગટ થાય છે. તે જ ભગવાનનાં લક્ષણ છે એટલે કે ભગવાનને ઓળખવાનાં સાધન છે. ભગવાન તીર્થકર જ્યારે વિદ્યમાન હોય છે, ત્યારે સમકિતી જીવો તેઓને આ 12 ગુણા દ્વારા શ્રી તીર્થંકરના રૂપમાં ઓળખ છે. મિથ્યાદષ્ટિ ભવ્ય જીવો તે જોઈને ચમત્કૃત થતા થતા ધર્મ પામી જાય છે. આ 12 ગુણો મહાપ્રભાવશાળી છે, ઉપદેશ વિના પણ દર્શન માસથી અનેક જીવાના હૃદયને હચમચાવી નાખનારા છે. શ્રી અરિહંત ભગવંતના મહાન મહિમાનું આ 12 ગુણા મૂર્તિમાન સ્વરૂપ છે. આ 12 ગુણામાં 8 તા પ્રાતિહાર્ય જ છે અને બાકીના ચાર અતિશય છે : જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને 8 પ્રાતિહાર્ય સમાઈ જાય છે. એટલું નિશ્ચિત છે કે 34 અતિશય અને 8 પ્રાતિહાયોના ધ્યાન કરતાં જગતમાં કોઈ અન્ય ધ્યાન પ્રક્રિયા ચડિયાતી નથી. એવી કોઈ ધ્યાન પ્રક્રિયા પણ કોઈ પણ ધર્મમાં નથી કે જેનો સમાવેશ 34 અતિશય અને 8 પ્રાતિહાર્યની ધ્યાન પ્રક્રિયામાં ન થતો હોય. જગતમાં એવું કોઈ ફળ નથી કે જે 34 અતિશયો અને 8 પ્રાતિહાયથી સહિત ભગવાન તીર્થકર ન આપી શકે. એવા કોઈ પ્રશ્ન નથી કે જેનું નિરાકરણ આવા ભગવાનમાં ન હોય. એવું કોઈ દુઃખ કે પાપ જગતમાં નથી કે આવા ભગવાન સાચા ભાવથી હૃદયમાં આવતાં જ ક્ષણવારમાં જ નાશ ન પામી શકે. તથી હ ભવ્ય જીવો ! જગતમાંની કોઈ આડી અવળી વસ્તુને પકડવા કરતાં આવા ભગવાનના ચરણ-યુગલને જ દઢ પકડવાની મહેનત કરો, શ્રદ્ધાપૂર્વક પકડો, પછી જુઓ કે આ તીર્થકર ભગવાન તમારા માટે શું કરી શકે છે ! / શ્રી તીર્થકર ભગવાનનું સાતિશય રૂપ જાતાં જ નિરાકાર રૂપની તો વાત જ શી કરવી !) આંખ નીરખી નીરખીને આસક્ત થઈ જાય, હર્ષાશ્રુઓની ધારાઓ વહેવા માંડે, त्वत्संस्तवेन भवसन्ततिसंनिबद्ध, ' પાપ ક્ષત્સિવમુતિ શરીરમાનામ્ ! - ભક્તામર, ગાથા-૭. અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy