SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સંતજી ! બીજું તો બધુ સહી લઈશ પણ મારા ઉપર એટલો અનુગ્રહ કરો કે જેથી હું શાંતિથી Study કરી શકું. શાંતિથી પરમાત્માને Prayer કરી શકું. મનોમંથન બાદ સંતે ચોટદાર જવાબ આપ્યો. In this day and age, the finest prayer and the finest study lie in accepting life exactly as you find it. ઈશ્વર તરફથી જે જીવન મળ્યું છે, જે સંયોગો કે સુખ દુઃખ મળ્યા છે, તેનો સહર્ષ સ્વીકાર કરવો એ જ મોટી પ્રાર્થના છે. એ જ શ્રેષ્ઠ Study છે. પરિસ્થિતિનો સામનો નહી સ્વીકાર કરવાનો છે. સંયોગોને આવકારવાના છે. ફરીયાદ વ્યર્થ છે. સારી-નરસી બંને સ્થિતિઓ અસ્થિર છે. સુખ દુઃખ બંને પરાવર્તમાન છે. આપદાઓની ફરીયાદ કાયરતાનું પ્રતિક છે. આપણા કરતા વધુ દુઃખી જીવોનો દુનિયામાં તોટો નથી. પાડ માન પ્રભુનો કે હાલ જે છે તેના કરતા વધુ દુઃખદ સ્થિતિનો ભોગ તને બનાવ્યો નથી. આવી પડેલ સંયોગોને વધાવવા એજ Big study છે. મળેલા ગમે તેવા સંયોગો બદલ પ્રભુનો પાડ માનવો એજ best prayer છે. | M.A., M. Com. ની અમેરીકન ડિગ્રી લઈને ભલે આવ્યા હોય પણ જરાક વાંકુ-જરા ઈચ્છા વિરૂદ્ધ થાય, જરા કોઈ કહ્યું ના માને, જરા ધંધામાં નુકશાન થાય, આવી નાની નાની બાબતોમાં જેઓ ઉછળી પડતા હોય. હાયહોય કરતા હોય, ગાળો અને ફરિયાદોના વરસાદ-વરસાવતા હોય એવાઓને Well educated શું કહેવાય ? સાધુ સંતના જીવન જો, પ્રતિકુળતાઓના જ ઘરમાં બેઠા હોવા છતાં ક્યારેક અકળામણ કે ફરીયાદનું નામોનિશાન પણ નહિ. આઠ વર્ષના બાળસાધુ પણ ઊઘાડે પગે વિહાર કરે, પગમાં ફોલ્લા પડે તેની પરવા નહી. ઘેર-ઘેર ભીક્ષા માંગી શરીર ટકાવે, માન અપમાનની કોઈ પરવા નહી. માથના એક એક વાળ ખેંચીને કાઢે, પીડા કે વ્યથાની ...77...
SR No.032831
Book TitleAnandnu Upvan
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherAkshay Shah Jaimin Jain
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy