________________ તે ખચકાટ વગર સ્વીકારી ધર્મકાયનું પોષણ કરવાનું. ભોગની ખણજ નહી, કષાયોનો પરિચય નહી. પૂર્ણ સ્વતંત્રતા, એકમાત્ર આત્મસાધનામાં જ લીનતા. કોઈની દખલગીરીને સ્થાન નહી. થોકબંધ પુન્ય ઉપાર્જન કરવાનું, થોકબંધ પાપનો ક્ષય કરવાનો, આ છે સાચુ મહારાણીપણું. પિતાની વાત્સલ્યસભર પરલોકહિતકારિણી પ્રેરણા દિકરીઓના હૈયામાં સોંસરી ઉતરી જતી. ત્રણખંડના સમ્રાટની તમામ પુત્રીઓ સમૃદ્ધિ છોડી સાધ્વી બની, સાચા અર્થમાં મહારાણી બની જતી. અંતે .. તું નથી જાણતો ક્યા જાય છે તું આટલી તેજ તારી ચાલ ના કર.. * * * * * ...૭ર...