SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આપનારને ખબર નથી હોતી કે મેં આશિષ આપ્યા છે. લેનારને પણ ખબર હોતી નથી કે મેં આશિષ મેળવ્યા છે. આ પ્રક્રિયા નૈસર્ગીક છે. પ્રાકૃતિક છે. બુદ્ધિથી અગમ્ય છે. કો'ક શુભ ઘડીએ કોકને શાંતિ-પ્રસન્નતા કે સુખ આપી દીધું. તેનાથી સામી વ્યક્તિની આંતરડી ઠરી, મન શાંત થયું. હાશકારો નિકળ્યો, આપણા માટે બે સારા શબ્દો સરી પડ્યા, એટલે સમજી લેજો કે કામ થઈ ગયું. આશીર્વાદથી જે વંચિત રહ્યા છે તેનું જીવન વાંક્યું છે. કર્વે નામના ભાઈએ સો વર્ષ પૂરા કર્યા. ઈન્ટરવ્યુ લેવા પત્રકારો આવ્યા, એક પત્રકારે પુછ્યું, તમારા સો વર્ષની આવરદાનો શ્રેય કોને આપો છો? સો વર્ષે પણ આટલી ર્તિ - તાજગી શાને આભારી છે ? શું ખાવામાં નિયમિત છો ? શુદ્ધ શાકાહાર જ આજ સુધી કર્યો છે ? શું કોઈ શક્તિની દવા ચાલુ છે ? શું વ્યાયામ દ્વારા શરીરને મજબુત કર્યું છે ? શું શુદ્ધ ઘી વિ. લીધા છે ? શું કોઈ કસરત ? કોઈ નિયમો ? કોઈ મંત્ર તંત્ર કે ઔષધિઓ ? કોઈ ધાર્મિક વિધાન ? સો વર્ષની પૂર્ણાહુતિમાં પ્રબળ નિમિત્ત તમને શું લાગે છે ? કર્વે કહે, શુદ્ધ શાકાહાર, શુદ્ધ આહાર, અને Punctuality વિ. નિમિત્તો તો કારણ ખરા, પણ મુખ્ય કારણ એક પ્રસંગ છે. પચાસ વર્ષ પૂર્વે રાતના બારના ટકોરે એક નોકરાણીએ બારણું ખટખટાવ્યું, દરવાજો ખોલ્યો. તે ચોધાર આંસુ સાથે મારા પગમાં પડી ગઈ. શું થયું ? આટલી મોડી રાત્રે એકલી કેમ આવી ? રોવાનું કારણ? નોકરાણી : “શેઠજી ! એકનો એક દિકરો ગાડીની અડફેટમાં આવી ગયો છે. લોહી અને માંસ બહાર આવી ગયા છે. કેસ સીર્યસ છે. ઘડીઓ ગણાય છે. ડોકટર મેજર ઓપરેશન કરાવવાનું કહે છે. દસ હજાર રૂપિયાની તાત્કાલિક જરૂર છે. નહી મળે તો ઓપરેશન નહી થાય, દિકરો મરણને શરણ થશે, હું અનાથ બની જઈશ. શેઠજી આટલી કૃપા કરો. ચામડા ચીરીને, આખી જીંદગી કામ કરીને હું તમારા રૂપિયા પાછા આપવા પ્રયત્ન 65...
SR No.032831
Book TitleAnandnu Upvan
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherAkshay Shah Jaimin Jain
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy