SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એટલે ગુરૂ સારા લાગવા, ગુરૂ પ્રત્યે ઉત્કટ બહુમાનભાવ કેળવવો, એજ ચારિત્ર જીવનનો સાર છે. ગુરૂના મનની પ્રસન્નતા સાચવવામાં, તેમના વચનની આજ્ઞા પાળવામાં જ ચારિત્ર છે. આ એક ગુણ આવ્યો તો બાકીની સાધના આપોઆપ સહજ વધતી જશે. - લૌકિક ક્ષેત્રે પણ જોવા મળે છે કે સૈનિકો સેનાપતિની આજ્ઞા પાળવામાં પોતાના પ્રાણની પણ પરવા કરતા નથી. “યા હોમ કરીને યુદ્ધમાં ઝંપલાવી દે છે, તો લોકોત્તર ક્ષેત્રે કેવી આજ્ઞાપાલકતા જોઈએ ? ઉઘાડે પગે લાંબા લાંબા વિહારો કરવા, માથાના વાળ હાથેથી ખેંચી કાઢવા, ઘેર ઘેર ભિક્ષા માંગવી, ઉગ્ર તપ-ત્યાગ કરવા, એ ખાંડાની ધાર રૂપ ચારિત્ર નથી. ગુરૂની ઈચ્છા મુજબ વર્તવું. આપણા મનને તેમના મનમાં ભેળવી દેવું. તેમને પૂર્ણ સમર્પિત રહેવું. તેમની પૂર્ણ પ્રસન્નતા સાચવવી, તેમની આજ્ઞાનું અણીશુદ્ધ પાલન કરવું એ ખાંડાની ધાર પર ચાલવા રૂપ ચારિત્ર છે. પ્રશ્ન થાય છે કે, ગુરૂના પ્રગટ દેખાતા દોષો સામે આંખ મીચામણા કઈ રીતે થઈ શકે ? તેનો ઉત્તર છે કે, પ્રેમીને પ્રેમીકા ઉપર પૂર્ણ પ્રેમ હોય ત્યારે પ્રેમિકાના હયાત એવા પણ દોષો લેશમાત્ર દેખાતા જ નથી, કારણ ? પ્રેમનું કામ છે ગુણ દર્શન કરવાનું. પ્રેમ ઘણો છે એટલે ગુણો જ એટલા બધા દેખાય છે કે દોષો જોવાની દ્રષ્ટી જ નથી, સમય જ નથી. વિચારશુદ્ધા નથી. ગુરૂ પ્રત્યે આવો પૂર્ણ પ્રેમ પ્રગટ થઈ જાય પછી દ્રષ્ટિ એવી ગુરૂમય બની જશે, પ્રેમમય બની જશે કે ગુરૂમાં એકમાત્ર ગુણો જ ગુણો દેખાશે. દોષ દર્શનને સ્થાન જ નહીં રહે. ફટકડીનું કામ છે પાણીના કચરાને નીચે બેસાડવાનું. પ્રેમનું કામ છે પ્રેમીના દોષોને નીચે બેસાડવાનું. ફટકડી જેવો પ્રેમ દ્રષ્ટીમાં વ્યાપી ગયા પછી દ્રષ્ટિ નિર્મળ થયા વિના ...62...
SR No.032831
Book TitleAnandnu Upvan
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherAkshay Shah Jaimin Jain
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy