SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા મિત્રો અને આપણા વિચારો આપણા જીવનના ઘડવૈયા છે. વિચારની ક્વોલીટી પણ આસપાસના વાતાવરણને આભારી છે એટલે જ પોતાનાથી ડાઉન હોય તેની સોબત વિકાસકાર્યમાં પરોક્ષપણે પણ બાધક બનતી હોય છે. મુર્ખ અને સમજદારની વ્યાખ્યા પણ સમજી લેવાની હોય છે. | મુખે એટલે આપણી હા જી હા કરે, દેખતા દોષ બતાડે નહીં, મરતા હોઈએ તોય બચાવે નહીં. મુર્ખ એટલે જેને આપણી સાથે નહીં આપણી પાસે જે છે તેની સાથે નિસ્બત છે. આવા જીહજુરીયા જ આપણા મોટા દુશ્મન છે, તેમનાથી ચેતતા રહેવાનું છે. સમજદાર એટલે સાચા અર્થમાં આપણા હિતેચ્છુ. જે આપણા આત્માના કલ્યાણને ઝંખે છે, કડવું પણ સત્ય કહેતા સંકોચ રાખતા નથી. તેમને અળખામણા થવાનો ભય નથી, એકાતે હિતકાંક્ષી છે. તપાસી લેવાની જરૂર છે કે આપણી આસપાસ કેવું વર્તુળ સર્જાય છે. નિર્દોષ દેવ અને નિઃસ્વાર્થ ગુરુ જ આપણા સાચા હિતેચ્છુ છે. બાકી બધા સ્વાર્થપ્રેમી જાણવા. અંતે- Don't be afraid of your enemy who attacks you. But be afraid of your fow who flatter you. * * * * * ...165...
SR No.032831
Book TitleAnandnu Upvan
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherAkshay Shah Jaimin Jain
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy