SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પંગુ છે, હૃદય ભળે તો નાની સાધના પણ પાવરફુલ છે. આપણી નબળી કડી કહો કે કુસંસ્કારનું જોર કહો, અસત્ પ્રવૃત્તિમાં અને ભોગ સાધનામાં હૃદય-મન વિના પ્રયત્ન સહજતાથી એકમેક થઈ જાય છે, અને સાધનમાં મનોભાવને જોડવાના લાખ પ્રયત્ન કરવા છતાં ધારી સફળતા મળતી નથી, અનાદિની કુવાસનાનું આ સહજ પરિણામ છે, છતાં નિરાશ થવાનું નથી. આનંદઘનજી જેવાએ પણ, “મનડું કિમી ન બાજે હો કુંથુજિન ! મનડું કિમ હી ન બાજે,’ આ કાવ્ય સર્જન કરી મનની દુર્જયતા છતી કરી છે. છતાં મનને ઠેકાણે લાવવાના પ્રયાસમાં ક્યાંય કચાશ કરી નથી. રસોઈ મીઠા વગર ફીક્કી લાગે, તેમ ક્રિયા પણ ભાવના રસ વિના ફિક્કી જ લાગે, ક્રિયામાં ભાવ ભેળવવાનો પ્રયત્ન કરવો જ પડે. હા ! ભાવ ના આવે ત્યાં સુધી ક્રિયા છોડાય નહીં ? કેટલાક ધ્યાનરસિક આત્મપ્રિય સાધકો (?) બયાનો આપતા હોય છે કે “ભાવ આવે ત્યારે જ ક્રિયા કરવી અન્યથા નહીં”, આવા પ્રચારકોને પુછવું પડે કે દુકાન ખોલીએ તો ઘરાક આવે કે ઘરાક આવે તો જ દુકાન ખોલવાની ? કહેવું જ પડે કે ઘરાક ના આવે તો ય દુકાન તો ખુલ્લી રાખવી જ પડે, દુકાન ખુલ્લી હોય તો જ ઘરાક આવે. આ જ ન્યાય આધ્યાત્મિક ક્ષેત્રમાં કેમ નહીં લગાડતા હોય ? વાસ્તવિકતા એજ છે કે ભાવ આવે કે ન આવે, ક્રિયા-સાધના-ધર્માનુષ્ઠાન ચાલુ જ રાખવા પડે. ધર્માનુષ્ઠાન ચાલુ હોય તો જ ક્યારેક પણ ભાવ જાગશે. આકાશમાંથી ભાવ ઉતરી પડશે એવી કલ્પનામાં રાચતા ધ્યાન પ્રિય સાધકોને ડનલોપના ગાદલામાં મહાલવાથી કોઈ કાળે ભાવ જાગવાના નથી. સાધનાની વિધિ સમજાય, સાધનાના રહસ્યો-મર્મો સમજાય, સાધનાની જરૂરીયાત-ઉપયોગિતા સમજાય, સાધનાના અર્થનું યથાર્થ પરિજ્ઞાન થાય. સાધનાની ક્રિયા પ્રત્યેની રૂચિભાવ હોય, સાધનામાં લખલૂટ પુણ્યબંધ અને આત્મકલ્યાણતાના દર્શન થતા હોય, તો સાધના પ્રાણવાન બન્યા વિના રહે ...116..
SR No.032831
Book TitleAnandnu Upvan
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherAkshay Shah Jaimin Jain
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy