SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આસન્ન મોક્ષગામીની ભવસ્થિતિ ઔચિત્યસભર અને આરાધનાપ્રધાન હોય છે. જેમ જેમ મોક્ષ દૂર જાય છે, દૂર હોય છે તેમ તેમ ઔચિત્યની મંદતા અથવા કયારેક હોવું, ક્યારેક ન હોવું, આરાધનાના ભાવની સાંતરતા મંદતા, પાપની પ્રવૃત્તિ, રસ વગેરેની વિશેષતા વગેરે વધારે દેખાય, ગુણોની સાંતરતા, મંદતા, અપ્રધાનતા દેખાય - આ બધા ભાવો અને પ્રવૃત્તિ જોઈને, ભવસ્થિતિ વિચારીને આત્મામાં સમતા કેળવવી. નિર્બળ વસ્તુ સાચવીને વાપરો તો ઘણી ચાલે અને તોડો તો નકામી થાય. નિર્બળ જીવોને સંભાળો તો થોડી ઘણી આરાધના, વિવેક, ગુણો સાચવતા રહે અને સદ્ગતિ પામે; પણ તિરસ્કાર, ઉપેક્ષાથી એના ભાવને, ઉલ્લાસને તોડી નાખો તો તમો સહાયક ન થાવ, તેઓ પણ ગુણ અને પુણ્યના ભાજન ન થાય અને દુઃખની અને દુર્ગતિની પરંપરાના ભાગી થાય. માટે પાપી જીવોની ભવસ્થિતિ વિચારવી અને તે પૂર્વક તેની સાથે યોગ્ય વ્યવહાર રાખવો તે સ્વ-પર ઉભય કલ્યાણકારી છે. અન્યથા સ્વ-પર બન્નેને અને અનેકને બાહ્ય-આંતરિક અનેક પ્રકારે હાનિ, દુઃખ, અસમાધિ અને દુર્ગતિની પરંપરા પણ ઉભી થાય. HTT
SR No.032829
Book TitleAgam Dariyo Ratne Bhariyo
Original Sutra AuthorN/A
AuthorVijayjayghoshsuri, Satyakantvijay
PublisherDivya Darshan Trust
Publication Year1998
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy