SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ &&&&&&& &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& दम शम समत्तमित्ति संवेअ विवेअ तिव्बोनिव्वेआ / ____एए पगूढ अप्पावबोहबीअस्स अंकुरा // આત્માના જ્ઞાન વગર જીવ આધ્યાત્મિક માર્ગ અને ઉન્નતિ શી રીતે પામે?” એ જેમ પ્રશ્ન છે તેમ શુદ્ધાત્માનું જ્ઞાન સોગનથી કે વર્ણનથી મળતું નથી તો શેનાથી મળે એ પણ પ્રશ્ન છે. સૂર્યોદય -અરૂણોદયથી માંડીને બધી અવસ્થાઓ જેમ અનુભવગમ્ય છે તેમ આત્મજ્ઞાન પણ અનુભવ ગમ્ય છે. એ અનુભવને લાવવાના ઉપાયો જે છે તે જ અનુભવ આવ્યા પછીના ગુણો આત્મબોધના કારણો-ઉપાયો છે અને તેનાથી જે ગુણો આત્મામાં આવે અને દોષો આત્મામાંથી જાય, ઘટે તે જ આત્મજ્ઞાન આત્મ-અનુભવરૂપી બીજના અંકુરા છે. આ ગુણનો વિકાસ તે આત્મ-અનુભવનો વિકાસ છે. આ ગુણોના વિકાસથી બીજા ગુણોતર પ્રગટે-વિકસે. તે ગુણાનુભવ અને ગુણલબ્ધિ બંને વધતા વધતા ગુણ પરાકાષ્ટાએ પહોંચે અને સર્વગુણમયતા-વ્યાપિતા થાય તે આત્માની શુદ્ધ અને સિદ્ધ અવસ્થા છે. ' જેમ જેમ ગુણ (મોટા થાય) પ્રાપ્ત થાય, મજબૂત થાય, ગુણાંતરના ઉત્પાદક થાય તેમ આત્માના કર્મ-મોહ, અજ્ઞાન અને સંસ્કારજન્ય દોષો ઘટતા જાય, નિર્બળ થાય, નાશ પામે અને અંતે આત્મા દોષ રહિત થાય છે. માટે દોષોના નાશના ઉપાયોમાં પ્રવર્તવું અને ગુણોની સિદ્ધિના ઉપાયોમાં પ્રવર્તવું તે આત્મજ્ઞાન-આત્મ અનુભવ અને એની પરાકાષ્ટારૂપ સિદ્ધ અવસ્થાને પામવાનો વ્યવહારનયનો રસ્તો છે, પ્રથમ પગથીયું છે. આનાથી જે દમ વગેરે ગુણો આત્મામાં ઉત્પન્ન થાય તેનો અનુભવ તે આત્મજ્ઞાન-અનુભવનું નિશ્ચયનયનું પ્રથમ પગથિયું છે. માટે દોષ અને દોષનો માર્ગ એ સંસાર છે. ગુણ અને ગુણના ઉપાય તે મોક્ષમાર્ગ છે, અને સર્વગુણોની પરાકાષ્ટા તે મોક્ષ છે. મોક્ષમાર્ગ અને મોક્ષ બંને આત્મ અનુભવરૂપ છે.
SR No.032829
Book TitleAgam Dariyo Ratne Bhariyo
Original Sutra AuthorN/A
AuthorVijayjayghoshsuri, Satyakantvijay
PublisherDivya Darshan Trust
Publication Year1998
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy