SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પામીને અન્યાય અનીતિ જુઠ વિશ્વાસઘાત અને કર્માદાનનાં મહાભયંકર પાપધંધા કરાય જ નહીં. એનાથી જ ભયંકર દુર્ગતિઓમાં રીબાઈ રીબાઈને મરવું પડે. એના બદલે ન્યાયનીતિથી બહુ ઓછા પાપનો ધંધો કરી આવકમાં ખોટ પડે એની પૂર્તિ કરવા ભગવાન પાસે માગવામાં કાંઈ વાંધો નહિ. (1) ભગવાન ભજીને ભવનિર્વેદની જેમ આવી બધી જીવનજરૂરી વસ્તુઓ ભગવાન પાસે જ માગવા માટે તો “ઇડ્રફલસિદ્ધિ' રોજ બોલવાનું જયવીયરાય’ સૂત્રમાં ગણધરોએ મૂક્યું છે. વળી. (2) જીવનમાં ઠામઠામ ધર્મમંગળ આગળ કરાય એ જિનાજ્ઞા છે. (3) શ્રાવક ધર્મપ્રધાન જીવન જીવે, “ચાર પુરુષાર્થમાં ધર્મ પ્રધાન છે.” ધર્મથી જિનભક્તિથી અનેક ક્ષુદ્ર ઉપદ્રવો સહજ રીતે દૂર થાય છે. રોજ બોલીએ છીએ કે, 3 : સત્યં યાન્તિ, છિદ્યત્તે વિખવલ્તય: | મન: પ્રસન્નતામતિ પૂજ્યમાને ત્રિનેશ્વરે છે'' જિનેશ્વર ભગવાનની પૂજાનો આ પ્રભાવ છે, ઉપસર્ગ-ઉપદ્રવો અને વિપ્ન વેલડીઓ અર્થાત્ અંતરાયો છેદાઈ જાય છે. આ એટલા માટે જ કહ્યું છે કે, “તમારે ઉપદ્રવો કે વિઘ્ન ટાળવા હોય તો આડા અવળા પાપધંધા કે ચંડીભવાનીની પૂજા માન્યતા કરવાને બદલે તમે જિનેશ્વર ભગવાની પુજા-ભક્તિ કરો.” આવું માગનાર બીજો વેપારી માગું તો અરિહંતપ્રભુ પાસે જ આ ટેકથી બીજા દેવી દેવતાને છોડી માત્ર અરિહંત ભગવાનનાં અચિંત્ય સામર્થ્ય પર શ્રદ્ધા કરી સાંસારિક હેતુ માટે ભગવાનની પૂજા ભક્તિ કરતો હોય. એ શું મહાપાપ બાંધનાર કહેવાય ? અને ભગવાન પાસે સંસારનું કશું મંગાય જ નહિ, એમ કરી મોટી કમાઈ માટે જૂઠ-અનીતિ વિશ્વાસઘાત અને મહાકર્માદાનના ધંધા કરનાર એ બહુ ઓછું પાપ બાંધનારી કહેવાય છે. શાસ્ત્રોમાં દામઠામ ઉપદેશ છે કે, “સુખી થવું હોય તો પાપ છોડો ને ધર્મ કરો.' એટલે કે એ ઉપદેશમાં સુખની ઇચ્છાથી પણ ધર્મ કરવાનું સૂચવ્યું કેમકે “દુ:ખ પાપાતું સુખ ધર્માત” દુઃખ પાપથી મળે સુખ ધર્મથી મળે છે તેમ શાસ્ત્રવાતા સમુચ્ચય શાસ્ત્રમાં કહ્યું છે. દુ:ખ ઇચ્છો તો જ પાપ પ ક ડા, સુખ છે. તે ધર્મ કે ડા. ઉપમિતિ શાસ્ત્ર' મહાવરાનો ઉચ્ચ કોટ ગ્રંથ. એ વખંજર શ્રી સિtપગણિ મહારાજે પણ એમાં લખ્યું કે - - ડગવતી
SR No.032828
Book TitleKarm Tari Gati Nyari Tarangvati
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2015
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy