SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનના મુખ્ય બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. 1 - સાલંબન ધ્યાન, 2 - નિરાલંબન ધ્યાન નિરાલંબન ધ્યાન વિના મોક્ષ ન મળે. નિરાલંબન ધ્યાન પામવું હોય તેણે સાલંબન ધ્યાનથી શરૂઆત કરવી પડે. તે માટે ચોક્કસ આલંબનની જરૂર પડે. એ આલંબન પૈકીનું એક આલંબન એટલે જ અરિહંત પરમાત્મા. અરિહંત પરમાત્મા એ સાલંબન ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન છે. જ્યારે સિદ્ધ પરમાત્મા નિરાલંબન ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન છે. સાલંબનથી નિરાલંબનમાં પ્રવેશ થઈ શકે. નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ થયા બાદ તેની પરાકાષ્ઠાએ પહોંચેલો સાધક શુદ્ધ ચૈતન્યને સાક્ષાત્ જાણી-માણીઅનુભવી શકે છે. સાલંબન ધ્યાનમાં અરિહંત પરમાત્મા આંખ સામે જોઈએ. અરિહંત પરમાત્માના ચારે નિક્ષેપણ મહત્ત્વના છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ. એમાં સ્થાપના નિક્ષેપો સાલંબન ધ્યાન માટે સૌથી વધુ ઉપયોગી બની શકે છે. તમે સૌએ તિજયપહત્ત સ્તોત્રની - चउतीसअइसयजुआ, अट्ठमहापाडिहेरकयसोहा / तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं / ગાથા સાંભળી હશે ? એમાં ચોત્રીશ અતિશયોથી યુક્ત, આઠ મહાપ્રાતિહાર્યથી શોભાપ્રાપ્ત, વિગતોહ એવા તીર્થકરોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવાનું કહ્યું છે. ધ્યાન વિના આત્માનું પરમાત્મા સાથે જોડાણ ન થાય. આત્માનું પરમાત્મા સાથે જોડાણ ન થાય તો પરમાત્માના અચિંત્ય પ્રભાવનો અનુભવ ન થાય. વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યા મુજબ એ જોડાણ બી ની રે તુમણું મિલશું જેવું જોઈએ. જેને યોગઅધ્યાત્મના ગ્રંથોમાં સમરસાપત્તિ કહેવાય છે. એ ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે ધ્યાનની અનિવાર્યતા છે. ધ્યાન જેને પણ કરવું હોય એને પરમાત્માના સ્વરૂપનું વિશદ જ્ઞાન હોવું અનિવાર્ય છે. ત્યારબાત સતત ચિંતન-મનન-નિદિધ્યાસન દ્વારા એ સ્વરૂપ આંખ સામે તાદશ થવું જોઈએ અને એ માટે અષ્ટ મહાપ્રાતિહાર્ય સમેત જિનબિંબની આવશ્યકતા માનવામાં આવી છે. પહેલા જણાવેલી ગાથા મુજબ એ અરિહંત પરમાત્માનાં ચોત્રીશે અતિશયોનું ધ્યાન ધરવાનું હોય છે, એમના આઠે આઠ મહાપ્રાતિહાર્યોનું પણ ધ્યાન ધરવાનું હોય છે અને એમની રાગ-દ્વેષ અને મોહ અંજનશલાકાનાં રહસ્યો 64
SR No.032826
Book TitleAnjanshalakana Rahasyo
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy