SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનો લગ્નોત્સવ यदा मरुन्नरेन्द्र श्रीस्त्वया नाथोपभुज्यते / यत्र यत्र रतिर्नाम, विरक्तत्वं तदा हि ते / / અર્થ : “હે નાથ ! જ્યારે જ્યારે આપ દ્વારા દેવતાઈ અગર માનવીય ઈન્દ્રતની લક્ષ્મી ભોગવાય છે, જ્યાં જ્યાં રાગ થવાનો હોય ત્યાં ત્યાં આપનું વિરાગીપણું જ હોય છે.' મૈથુન પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા, વિવાહ કંકણ ઘારતા; જે બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અહિંત, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી અરિહંત પરમાત્માના જીવનની પ્રત્યેક ઘટનાઓને જો એના વાસ્તવિક મર્મ સુધી પહોંચીને સમજવાનો પ્રયત્ન કરાય તો દરેકને પોતાના જીવન માટે અત્યંત ઉજળા આદર્શોની પ્રાપ્તિ થઈ શકે. આજે બપોરે જ્યારે પરમાત્માના લગ્નની ઉજવણી કરવાની છે, તે વખતે લગ્નના વિષયમાં પરમાત્માની મનોદશા કેવી હોય છે, તે સમજવું પણ અત્યંત જરૂરી છે. - ભગવાન શ્રી નેમિનાથ જન્મથી જ પરમ વૈરાગી છતાં કૃષ્ણ મહારાજા અને માતાપિતાના અત્યંત દબાણથી લગ્ન માટે જવાનો પ્રસંગ આવ્યો અને એ વખતે ભોજન માટે વાડામાં પૂરાયેલા અગણિત પશુઓની દશા જોઈ લગ્નથી પાછા ફર્યા અને તે વખતે જ્યારે કૃષ્ણ મહારાજાએ લગ્નનું અત્યંત દબાણ કર્યું, ત્યારે ભગવાન શ્રી નેમિનાથે કૃષ્ણ મહારાજાને કહ્યું કે, “આ સંસારમાં રઝળી રઝળીને હું ઘરડો થઈ વિ.સં. 2014, વૈ.સુ. 5, ગુરુવાર, તા. 30-4-98 પ્રભુનો લગ્નોત્સવ -
SR No.032826
Book TitleAnjanshalakana Rahasyo
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy