________________ છપ્પન દિકકુમારી મહોત્સવ-જન્મકલ્યાણક नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु / पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः / / અર્થ : “નારકો પણ જેમના કલ્યાણક પર્વ દિવસોમાં આનંદને અનુભવે છે તે તીર્થંકરના પવિત્ર જીવનને વર્ણવવા માટે કોણ સમર્થ હોઈ શકે ?" મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, જે જન્મતા ત્રણે લોકમાં, મહામૂર્ય સમ પરકાશતા; જે જન્મ કલ્યાણક વડે સહુ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. છપ્પન્ન દિકુમારી તણી, સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં, ઘાણી જગત હરખાવતા; મેરુશિબર સિંહાસને જે નાથ જગના શોભતા, એવા પ્રભુ અરિહંતને, યંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત વિ.સં. 2014, વૈ.સુ. 1, સોમવાર, તા. 27-4-98 છપ્પન દિકુમારી મહોત્સવ-જન્મકલ્યાણક