SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिं गतो ऽपीश ! विशुद्धचित्ते, गुणाधिरोपेण ममाऽसि साक्षात् / भानुर्दवीयानपि दर्पणेऽशु सङ्गान किं द्योतयते गृहान्तः ? અર્થ : “હે ઈશ ! તું મુક્તિમાં ચાલ્યો ગયો હોવા છતાં વિશુદ્ધ ચિત્તમાં ગુણની અધિસ્થાપના દ્વારા મને સાક્ષાત્ પ્રગટ થયેલો છે. મોટો એવો પણ સૂર્ય દર્પણમાં પડેલા કિરણના યોગથી ઘરના અંદરના ભાગને શું પ્રકાશિત કરતો નથી ?' પૂ. વાચકવરશ્રી યશોવિજયજી મહારાજ ભગવાનને કહે છે કે “દુનિયા કહે છે પ્રભુ ! તમે મહાન છો, પણ હું કહું છું કે પ્રભુ ! તમે મહાન નહિ પણ હું મહાન છું.” કેવો બાળભાવ હશે ? ‘લવું પણ હું તુમ મન નવ માવું રે, જગન્ટ તુમને દિલમાં લાવું રે, કુણાને દીજે એ શાબાશી રે, કહો શ્રી સુવિથ જિદ વિમાસી છે.” હે પ્રભો સુવિધિ નિણંદ ! તમે મને વિચાર-વિમર્શ કરીને કહો કે કોને શાબાશી આપવી જોઈએ ! કેમ કે હું સાવ નાનો ગણાઉં. છતાં પણ મોટા એવા તમારા મનમાં મારું સ્થાન નથી. (તમારા મનમાં હું સમાઈ શકતો નથી, જ્યારે જગગુરુ ! મેં તો આપને મારા હૃદયમાં સમાવી દીધા છે.” પ્રભુ ! તમે સાક્ષાત્ મારા હૃદયમાં જ છો. તમને શોધવા ક્યાંય જવું નથી, તેમ આપણે પણ કહીએ. પ્રભુ ! તમને સાક્ષાત્ જોવા પ્રતિમામાં જોયું છે, તમારી પ્રતિમાનું પ્રતિબિંબ મારા હૃદયમાં ઝીલાવું છું અને મારા હૃદયનું પ્રતિબિંબ તમારી પ્રતિમામાં ઝીલાવું છું. તેઓશ્રી મહાન વિદ્વાન હતા. સાક્ષાતુ સરસ્વતીનો અવતાર હતા. તર્કશક્તિના સમ્રાટ હતા. કાવ્યશક્તિ ચોમેર ખીલેલી હતી. એમની તોલે કોઈ આવી શકે તેમ ન હતું. પૂજ્ય મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ જેવા સમર્થ ગ્રંથકારને પણ કહેવું પડ્યું કે, આ કાળમાં શ્રુતકેવલીની ઝાંખી કરાવે તેવા હતા. એવા એ મહાત્મા પ્રભુને આ રીતે બાળભાવે કહે છે, દુનિયા તમને મહાન કહે છે, પણ હું મહાન છું. ------------------------ હૃદયનું દર્પણ ચોખ્યું હોય તો એમાં મહાન પ્રભુને પણ આવવું જ પડે !
SR No.032826
Book TitleAnjanshalakana Rahasyo
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy