SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઝનૂનપૂર્વક દોડવાને કારણે ઝડપ પણ તીવ્ર હતી. તપશ્ચર્યાઓથી કૃશ થયેલ શરીર આ ઘા જીરવી ન શક્યું. માથે અથડાતા જ મગજમાં કેક પડી. બ્રેઈન હેમરેજ થયું. લોહીના ખાબોચિયામાં મહાત્માનો દેહ ત્યાંનો ત્યાં ઢળી પડ્યો. અને આત્મા ચાલી નીકળ્યો. નાની વાતનો કેવો કરુણ અંજામ ! વાત આટલેથી અટકતી નથી, મહાત્માએ મરતા મરતા આત્મામાં ગુસ્સાના સંસ્કાર પાડી દીધા. કર્મસત્તા પાસેથી ગુસ્સાની લોન લેવાનું શરૂ કરી દીધું હતું. પછીના ભાવમાં પણ લોન લેવાનું તે સંસ્કારના પ્રતાપે શરૂ જ રહેવાનું હતું. નવા ભવમાં પ્રારંભિક અવસ્થા તો સામાન્ય રીતે જ વીતી. ઉંમરલાયક થયા પછી પૂર્વભવના દીક્ષાના સંસ્કારના પ્રતાપે આ ભવમાં પણ સંસારનો ત્યાગ કર્યો. પણ, નસીબ ખરાબ કે જિનશાસનમાં પ્રવેશ ન મળ્યો. કૌશિક તાપસ થયા. આખી જિંદગી સંયમની આરાધના કરી હતી તેના પ્રતાપે ફરીથી માનવભવ પ્રાપ્ત કરવામાં તે સફળ થયા. પણ અંત સમયે ક્રોધની લોન લેવાની પડી ગયેલી કુટેવ એ મોંઘેરા માનવભવને નકામો બનાવી દે છે. કૌશિક તાપસ પાસે એક આશ્રમ છે. આશ્રમની આસપાસ એક સરસ મજાનો બગીચો પણ તેમણે ખીલવ્યો છે. ઘણી મહેનત કરી બગીચાને જાળવ્યો હતો. ગામની નજીકમાં જ આશ્રમ હોવાથી ઘણાં લોકો આશ્રમમાં અવર જવર કરતા. થોડા અળવીતરા લોકો બગીચાને નુકસાન પણ પહોંચાડતા. ત્યારે કૌશિક તાપસનો ગુસ્સો કાબૂ બહાર જતો રહેતો. બગીચાનો બગાડ તેનાથી સહ્યો જાય નહીં. આ બહાને કર્મસત્તા પાસેથી ક્રોધની લોન લેવાનું વધતું જતું હતું. એમાં રાજકુમારોને આ બગીચો ફાવી ગયો હતો. વારે-તહેવારે આવી બગીચાને નુકસાન પહોંચાડી જતા. કૌશિક તાપસની નજર બહાર કશું જ નહતું. એટલે રાજકુમારો ઉપરનો તેમનો ગુસ્સો ગુણાંકમાં વધે રાખતો હતો. માનો કે હવે તો લોનના રૂપિયા ઘરના રૂપિયાની જેમ ઉડાડી રહ્યો હતો. એક વાર રાજકુમારો આવી બગીચાના ફળો ઝાપટી 64
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy