SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જન પ્રાયઃ તમારા સહનું મનગમતું બજાર એટલે શેરબજાર. શેરબજાર સારું કે ખરાબ ? એની ચર્ચામાં પડ્યા વિના શેરબજારમાં તમે જે સિદ્ધાંત મુજબ કામ કરો છો તે સિદ્ધાંત જો તમે જીંદગીની બજારમાં લાગુ પાડી દો તો ક્રોધનો નિગ્રહ કરવામાં સફળતા મળી જશે. શેરબજારમાં વેપાર ' કરનારો ત્રણ કાળજી કરતો હોય છે - (1) ઊઠી જનારી કંપનીના શેર ક્યારેય ખરીદતો નથી. (2) મંદીના સમયમાં તેજીના ભાવ પ્રમાણે શેર ક્યારેય ખરીદતો નથી. તેજીના સમયમાં જે શેરના ભાવ રૂા. પ૦૦ હોય તેના મંદીના સમયે રૂ. 50 જ ચૂકવે છે અથવા ખરીદતો જ નથી. ડીવીડન્ડ અને બોનસ જેના કદી સારા મળતા જ ન હોય તેના શેર લેવાનું પણ લગભગ ટાળે છે. આ મુખ્ય ત્રણ સિદ્ધાંતને જીવનમાં લાગુ પાડવા જેવા છે. તમારી સામે બે કંપની છે - (1) મોહરાજાની અને (2) ધર્મરાજાની. મોહરાજાની કંપનીના શેર તરીકે ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્વેષ, વિશ્વાસઘાત, તિરસ્કાર વગેરે પાપો છે. ધર્મરાજાની
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy