SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ બીક ન રી / અમદાવાદથી મુંબઈ જવા માટે નીકળનાર માણસને રસ્તામાં જો પાલનપુર, હિંમતનગર અને આબુ જેવા સ્થળોના દર્શન થાય તો શું સમજવું ? એ જ ને કે એ માણસ ઊંધે રસ્તે છે. કારણ કે જો તે અમદાવાદથી મુંબઈના રસ્તા ઉપર હોય તો રસ્તામાં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી. આ બધું આવે. પાલનપુર, હિંમતનગર, આબુ નહીં. આટલી સમજણ તમારી એકદમ ચોખ્ખી છે. આ જ સમજણને “રોડ પોલિસી દ્વારા અધ્યાત્મક્ષેત્રે લાગુ પાડવાની છે. જગતની દરેક વ્યક્તિ સુખાભિલાષી હોય છે. સુખ માટે જ તે પ્રવૃત્તિ કરી રહેલ હોય છે. પણ, શાસ્ત્રકારો એટલું જ કહેવા માંગે છે કે તમારે સુખ મેળવવું હોય તો સુખ સુધી પહોંચાડે તેવા રસ્તે મુસાફરી કરવી પડશે. સુખ સુધી પહોંચાડનારા રસ્તે છો કે બીજા જ કોઈક ભળતા રસ્તે છો ? - તેનો નિર્ણય તો કરો ! સુખ મેળવવા જે રસ્તો તમે સ્વીકારેલ છે તેમાં જો વચલા બસસ્ટોપ તરીકે અશાંતિ, અસમાધિ, કષાય, અસ્વસ્થતા... આ બધું જ આવતું હોય તો તે સુખનો માર્ગ કેવી રીતે ? જે માર્ગે શાંતિ, સમાધિ વગેરે વચલા બસસ્ટોપ તરીકે આવે તે માર્ગ સુખનો હોય કે જે માર્ગે અશાંતિ, અસમાધિ વગેરે વચલા 382
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy