________________ બીક ન રી / અમદાવાદથી મુંબઈ જવા માટે નીકળનાર માણસને રસ્તામાં જો પાલનપુર, હિંમતનગર અને આબુ જેવા સ્થળોના દર્શન થાય તો શું સમજવું ? એ જ ને કે એ માણસ ઊંધે રસ્તે છે. કારણ કે જો તે અમદાવાદથી મુંબઈના રસ્તા ઉપર હોય તો રસ્તામાં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી. આ બધું આવે. પાલનપુર, હિંમતનગર, આબુ નહીં. આટલી સમજણ તમારી એકદમ ચોખ્ખી છે. આ જ સમજણને “રોડ પોલિસી દ્વારા અધ્યાત્મક્ષેત્રે લાગુ પાડવાની છે. જગતની દરેક વ્યક્તિ સુખાભિલાષી હોય છે. સુખ માટે જ તે પ્રવૃત્તિ કરી રહેલ હોય છે. પણ, શાસ્ત્રકારો એટલું જ કહેવા માંગે છે કે તમારે સુખ મેળવવું હોય તો સુખ સુધી પહોંચાડે તેવા રસ્તે મુસાફરી કરવી પડશે. સુખ સુધી પહોંચાડનારા રસ્તે છો કે બીજા જ કોઈક ભળતા રસ્તે છો ? - તેનો નિર્ણય તો કરો ! સુખ મેળવવા જે રસ્તો તમે સ્વીકારેલ છે તેમાં જો વચલા બસસ્ટોપ તરીકે અશાંતિ, અસમાધિ, કષાય, અસ્વસ્થતા... આ બધું જ આવતું હોય તો તે સુખનો માર્ગ કેવી રીતે ? જે માર્ગે શાંતિ, સમાધિ વગેરે વચલા બસસ્ટોપ તરીકે આવે તે માર્ગ સુખનો હોય કે જે માર્ગે અશાંતિ, અસમાધિ વગેરે વચલા 382