________________ પ્રશ્ન તમારી દષ્ટિનો છે. જો દૃષ્ટિમાં ફરક પડશે તો દુનિયા પણ બદલાઈ જશે. ચશ્મામાં કચરો હશે તો દુનિયાની તમામ ચીજોમાં કચરો દેખાશે. ચશ્મા જો ચોખા હશે તો દુનિયા ચોખી જ લાગશે. હવે દૃષ્ટિકોણને ચોખ્ખો કરવાનો સંકલ્પ કરો. આ દૃષ્ટિકોણને અપનાવી એક વાર આખા જગતને નિહાળી જુવો. સહુ તમને ઉપકારી લાગશે !!! - ક્રોધરૂપી ઝેરથી ખરડાયેલ હૃદયમાં પ્રેમનું અમૃત ભલા ! ક્યાંથી હોય ? - જોન લંડન. * * * * * * એક વાર ક્રોધને બરાબર પિછાણી લો, પછી તેને કાઢવી પ્રબળ પુરુષાર્થ આદરી. - દીપક ચોપરા, 364