SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (2) ડાયમંડની દુકાન તમે રાતના ખોલતા નથી. કારણ કે તમે જાણો છો - રાત પડશે, બજાર બંધ થશે, રસ્તા સૂમસામ બનશે, વાતાવરણ અંધારઘેર્યું બનશે ત્યારે જો હું દુકાન ખુલ્લી રાખવા ગયો તો લૂંટાઈ જવાની શક્યતા 100% છે. ડર છે લૂંટાવાનો, માટે રાત્રે દુકાન તમે ખોલતા નથી. આ જ વાત હવે ક્રોધનિગ્રહ માટે લાગુ પાડો. મારા સદ્ગુણો, મારા વચનો એ હીરા જેવા છે. જ્યારે હીરાનો વેપાર = વચનનો વેપાર કરવો છે ત્યારે ખાસ વિચારી લો કે અત્યારે રાત્રિ તો નથી ને ? રાત્રિ એટલે પાપોદયનો સમય. દિવસ એટલે પુણ્યોદયનો સમય. જી પત્નીનો સ્વભાવ કજિયાળો હોય, છ દીકરો ઉદ્ધત હોય, જી ફ્રેન્ડસર્કલમાં પણ વારે-વારે અપમાન થયે રાખતા હોય, છે ઘરમાં કોઈ તમારી વાત સાંભળવા તૈયાર ન હોય, છ નોકર ટાઈમસર આવતો ન હોય, જી બજારમાં મંદી હોય, ધંધામાં બરકત મળતી ન હોય, આડોશ-પાડોશમાં હેરાનગતિ પાર વિનાની હોય.... જો આવી હાલત તમારી હોય તો સમજી લો કે પાપોદયની રાત્રિ તમારા માટે ચાલી રહી છે. આવા સમયે વચનો બોલવાના બદલે મોઢાનું શટર પાડી દેવું એ જ ઉચિત છે. કારણ કે પાપોદયના સમયમાં જ્યારે તમે કશુંક પણ કોઈને કહેશો એટલે એ તમારું અપમાન કરશે, તમારી વાત પ્રત્યે અરુચિ બતાવશે અને તમારું મગજ સંક્લેશની જાળમાં સપડાઈ જશે. માનસિક, વાચિક સંક્લેશો વધતા જ જશે, વધતા જ જશે. આખરે અણમોલ એવો માનવભવ હારી જવાશે. માટે, જેમ રાત્રિના સમયમાં દુકાનનું શટર પાડી દેવામાં આવે, હીરાનો ધંધો બંધ કરી દેવામાં આવે તેવી જ રીતે પાપોદયની રાત્રિમાં મુખનું શટર પાડી દો, મૌનનો આશ્રય કરી લો. વચનનો ધંધો-વ્યવહાર સદંતર બંધ કરી દો. પછી જુઓ મજા. કદાચ આ મૌનના પ્રતાપે તમારો 18
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy