________________ 49 = = અત્યંત ન્યાયપ્રિય અને લોકપ્રિય સમ્રાટ તરીકે ઓગસ્ટસ સીઝર પ્રસિદ્ધ હતો. આ રોમન સમ્રાટ અત્યંત લોકપ્રિય હોવા છતાં સીન નામના એક માણસના મનમાં તે આંખના કણાની જેમ ખૂબ જ ખૂંચતો. એને પતાવી દેવાની તીવ્ર ઈચ્છા સીનાના રોમ-રોમમાં જાણે ભરી પડી હતી. કોઈ પણ રીતે એ સીઝરને પતાવવાના મૂડમાં જ હતો. આખરે જરૂરી સામગ્રી ભેગી થતાં જ સીનાએ રોમન સમ્રાટ ઓગસ્ટસ સીઝરને પતાવી દેવાનું કાવતરું ઘડી દીધું. પણ, રામ રાખે તેને કોણ ચાખે? જેનું પુણ્ય સલામત હોય તેને કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. તથા પુણ્ય પરવારે ત્યારે કોઈ ન બગાડે છતાં બગડચ| વિના રહેતું નથી. પુણ્ય જાગતું હતું તો શ્રીપાલને મારવાના ધવલ શેઠે ઘણા ધમપછાડા કર્યા છતાં શ્રીપાલને એનાથી ઊની આંચ પણ ન આવી. તથા જો પુણ્ય પરવાર્યું હોય તો બધી વસ્તુ અનુકૂળ હોવા છતાં, દાદરો ઉતરતા પગ લપસે અને બે મહિનાનો ખાટલો થઈ જાય. આપણને હેરાન કરવા એ કર્મસત્તાને મન બહુ રમત વાત છે. માટે, બીજા ઉપર ધિક્કાર-તિરસ્કાર કરવાના બદલે આપણી જાતની, આપણે બાંધેલા 340