________________ “જેટલો સંકલ્પ મજબૂત તેટલો તે સાકાર પણ ઝડપથી થાય” - આ સુભાષિતના પાયા ઉપર આ પોલિસી સર્જાઈ છે. મનથી જ ક્રોધનો બહિષ્કાર કરવાનું આ પોલિસી જણાવે છે. શિયાળાનો સમય હતો. કડકડતી ઠંડી પડી રહી હતી. રાતના અંધકારની કાળી ચાદર સર્વત્ર ફેલાયેલી હતી. આવા સમયે એક આરબ રણમાં મુસાફરી ખેડી તંબૂ નાંખવાની મહેનત કરી રહ્યો હોય છે. ઊંટને ખીલે બાંધી તંબૂની અંદર પોતે સૂઈ જાય છે. આખા દિવસની મુસાફરીનો થાક હોવાથી આરબ તો ઘસઘસાટ સૂઈ ગયો. પણ, થોડી વાર થઈ કે કોઈકના શ્વાસનો ગરમાવો લાગતા એ જાગી ગયો. જાગીને જોયું તો ઊંટનું મોટું અંદર આવી ગયું હતું. બહાર ઠંડી સખત હતી એટલે ખીલે બંધાયેલા ઊંટે અંદર પેસવા મોટું ઘાલ્યું હતું. આરબને દયા આવી. એણે થોડું સાઈડમાં ખસી ઊંટને જગ્યા આપી. થોડી વાર થઈ, ઊંટે એક પગ અંદર લીધો. આરબે થોડી વધુ જગ્યા કરી આપી. ઊંટે બીજો પગ અંદર લીધો... અને એમ કરતા કરતા છેલ્લે ઊંટ અંદર અને આરબ બહાર પહોંચી ગયો ! જો કે, આમાં આરબે કંઈ ખરાબ તો કર્યું નથી. પણ, જો તેણે ઊંટને મોટું ઘાલતા 337