SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તમારો સુધરતો સ્વભાવ તમારી આજુબાજુનાને પણ સુધરવાની તક પૂરી પાડે છે. જો આપણે કોઈને પણ એક અક્ષર ન બોલીએ તો અવશ્ય તે આપણા ઉપર સદ્ભાવ ધરાવતો થશે જ. પછી તો વગર કહૈ અસર થશે. તમને પછાડવા આવનારા તમારા દ્વારા જ પામી જશે. ફક્ત તમે તમારા દિલમાં મૈત્રીભાવને સ્થાન આપો. નક્કી કરો, આ ભવમાં તો ક્ષમા જ રાખવી. >> ચાહે મને કોઈ અપમાનિત કરે પણ મારે તો ક્ષમા જ રાખવી છે. છે ચાહે દીકરો મારું ન માને પણ મારે તો સમતા જ રાખવી છે. 7. ચાહે મને કોઈ અપશબ્દ સંભળાવી જાય મારે તો શાંત જ રહેવું છે. ઘણી દુકાન ઉપર એક બીજું પણ બોર્ડ લગાવેલું હોય છે - (B) "25 g rula" (Fixed Rate) ક્રોધનો નિગ્રહ કરવા આ સૂત્ર પણ ખૂબ કામયાબ નીવડે તેમ છે. રામાયણનું નાટક આજે સાંજે ભજવવાનું હતું. નાટક કંપનીનો ડાયરેક્ટર અત્યંત ચિંતામાં હતો. તેની ઉપર નજર પડતા રામનું પાત્ર ભજવનારે પૂછ્યું :- કેમ સર ! આજે બહુ ચિંતામાં લાગો છો ?' “અરે ભાઈ ! ઓલો રાવણ આજે માંદો પડ્યો છે. એ બિલકુલ અભિનય કરી શકે તેમ નથી. રાવણ વિનાની રામાયણ કેવી રીતે હોય ?' “ચિંતા નહીં કરો ! મને એના બધા ડાયલોગ્સ યાદ છે. હું બોલી જઈશ.” પછી બન્ને વચ્ચે કંઈક ગુફતેગુ થઈ અને નાટકનો સમય થયો. રાબેતા મુજબ નાટક શરૂ થવાનું હતું ત્યાં ડાયરેક્ટર સ્ટેજ ઉપર આવીને જાહેરાત કરે છે - 12
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy