SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ કરે. કામ પતે પછી એ વધારે એક સેકંડ પણ તે સળગતા મકાનમાં ન રોકાય. બસ ! આ જ રીતે ક્રોધ એ સળગતું મકાન છે. તેમાં એક ક્ષણ પણ વધારે ન રહેવાય. બને તેટલું વહેલામાં વહેલું તેમાંથી બહાર નીકળી જવાનું હોય. આ વાત તો જ શક્ય બનશે કે જો ક્રોધ ઉપર ખરેખરી ધૃણા ઉત્પન્ન થઈ ગઈ હોય. આ પદ્ધતિને અજમાવવા માટે, ક્રોધનો સમય ઘટાડવા માટે એક પ્રયોગ કરવા જેવો છે. જ્યારે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે ગુસ્સો કરતા પહેલાં સમય જોઈ લો. 1 મિનિટ કે 2 મિનિટની મર્યાદા નક્કી કરી લો. અને પછી ઘડિયાળના કાંટે તેટલો જ સમય ગુસ્સો કરવાનો. તેમાં એક ક્ષણ પણ વધુ નહીં. જો ક્રોધ પૂર્વે જ આ રીતે સમયમર્યાદા નક્કી કરી દેશો તો ક્રોધ તમને અને બીજાને ઝાઝું નુકસાન પહોંચાડી શકે - તેવી શક્યતા નથી. તથા ક્રોધ પતે પછી શાંતિથી વ્યવહાર જો તમે કરશો તો ક્રોધના ખરાબ ફળને તમે અટકાવી શકશો અને તેની સારી અસર ઉપજાવી શકશો. ગમે તેવો દારાસિંગ જેવો કદાવર માણસ હોય છતાં કડિયાળી ડાંગ જો તેની કરોડરજ્જુમાં પડે અને એકાદ મણકો તૂટી જાય પછી તે પાંગળો છે, નબળો છે, તેની હુમલો કરવાની શક્તિ બચતી નથી. તેમ ક્રોધ ગમે તેવો મજબૂત ભલે હોય. પણ, મારે 60 સેકંડથી વધુ ક્રોધ નથી કરવો’ -- આવા સંકલ્પરૂપી કડિયાળી ડાંગથી તેને ફટકારવામાં આવે તો તે ક્રોધ નબળો થઈ જશે, પાંગળો થઈ જશે. માટે, આજથી આ સંકલ્પ કરી દો કે હવે ગમે તેટલી વાર મારે ગુસ્સો કરવો પડે. પણ, 60 સેંકડથી વધારે સમય તો ગુસ્સો કરવો નથી.' દીર્ઘકાળ સ્વરૂપ સ્વજનને ગુમાવી ક્રોધ મશરણ થશે. (5) પાંચમી પદ્ધતિ છે - “ચાન્સ શોધવાના છોડી દો ! 14 જાહેરમાં કોઈકે તમારી કોઈક બાબત અંગે ભૂલ કાઢી. હવે તમારું મગજ એ ભૂલ કાઢનારની ભૂલ શોધવામાં પડી જશે. કદાચ તમને ખ્યાલ પણ નહીં આવે કે તમારું મગજ એ વ્યક્તિની ભૂલ શોધી રહ્યું છે. પણ, જ્યારે તમારી જે બાબત અંગે એ વ્યક્તિએ ભૂલ દર્શાવી હતી, તે જ બાબતની ભૂલ તેના દ્વારા થતી તમારા જોવામાં આવે કે Sii 286
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy