SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા સૌપ્રથમ એક ત્રાહિત વ્યક્તિ તરીકે ક્રોધને જુવો. એટલે તરત જ ક્રોધની નબળી કડીઓ પકડાવા માંડશે. વથી કપરકાબી તૂટે એટલે સાસુ તાડૂકી ઉઠે. સામે વહુ પણ જેવા સાથે તેવામાં માનનારી હોવાથી જોરદાર સામનો કરે. અને ક્રોધ વધતો જાય, વધતો જાય. આ વખતે એક વાત નોંધપાત્ર છે કે ક્રોધ શરૂ થયો - કપરકાબી માટે. પણ, ક્રોધ શરૂ થયા બાદ તે કપરકાબી સુધી સીમિત નહીં રહે. પણ, ભૂતકાળની ભૂલો પણ ક્રોધ ઉખેડશે. વાત ક્યાંની ક્યાં પહોચી જશે. કપરકાબી જોડે જેને દૂરનું પણ સ્નાનસૂતક ન હોય તેવી વાતો યાદ આવશે. સામેવાળાને તેના મેંણા-ટોણા મારવામાં આવશે. અને ક્રોધ વધ્યે જ રાખશે, વધે જ રાખશે. વાત સ્વાભાવિક પણ છે. કારણ કે વર્તમાનનું નિમિત્ત બહુ નાનું છે. ક્રોધ એક આગ છે. જો વર્તમાનના નિમિત્તને આધારે જ તે ક્રોધ રૂપી આગ ચાલતી હોય તો તે લાંબું ટકી ન શકે. કારણ કે આગને ટકવા માટે ઈંધન જોઈએ, તેમ ક્રોધને પણ ટકવા માટે ઈંધન જોઈએ. વર્તમાનનિમિત્ત તો ઘણું નાનકડું ઈંધન છે. માટે, ભૂતકાળની ભૂલો રૂપી ઈંધન જેટલું હોમશો, તેમ તેમ ક્રોધ રૂપી આગ વધુ ભભૂકશે. મતલબ, કે ક્રોધની આગ ભૂતકાળની બીજી ભૂલો રૂ૫ ઈંધનના પ્રતાપે જ ભભૂકી શકે છે. જો તેને ભૂતકાળની ભૂલો યાદ કરાવવા રૂપી ઈંધન આપવાનું બંધ કરી દેવામાં આવે તો ક્રોધમાં ધરખમ ઘટાડો થઈ જશે. અંતે એ આગ બૂઝાઈ ગયા વિના રહેશે નહીં. તેથી હવેથી નક્કી કરી દો - ગમે ત્યારે ગુસ્સો આવે. પણ, તે વખતે જે નિમિત્તને આધારે ગુસ્સો આવ્યો હોય, ફક્ત તેને જ પકડી રાખવું. ભૂતકાળની કોઈ પણ ભૂલને પકડી ગુસ્સો આગળ ન જ વધારવો. ભૂતકાળના કોઈ પણ પ્રકરણ ન જ ઉખેડવા. તમે જો સામેવાળાને તેની ભૂલ માટે જ ખખડાવતા હો, તેને સુધારવાના આશયથી જ જો ગુસ્સો કરતા હો તો જૂની ભૂલોને ઉખેડવાની જરૂરત શી ? જો ભૂતકાળની ભૂલોને ઉખેડવાની બંધ કરી દેશો તો ગુસ્સો લાંબો સમય ટકી જ નહીં શકે, પાવર ઘણો જ ઘટી જશે. મતલબ કે ગુસ્સો અંદરથી ખોખલો થઈ જશે. પછી, 281
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy