________________ પ્રસન્નતાથી ખમી લેવાની તાકાત આપણી ભારતીય સંસ્કૃતિ આપે છે. જ્યારે દુઃખની આશંકા માત્રથી જ તેનો પ્રતીકાર કરવાના વિવિધ વિકલ્પોમાં અટવાઈ દુઃખ આવે તે પહેલાં જ અસમાધિને નોતરી લાવવાનું કામ પાશ્ચાત્ય સંસ્કૃતિ કરે છે. બન્નેના સ્પષ્ટ ઉદાહરણ છે. ભજન કરતા નરસિંહ મહેતાને સમાચાર મળ્યા કે - તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે. મહેતા સમજે છે કે જીંદગીભર મારો સાથ નિભાવનારી આ પત્ની હતી. છતાં એક દિવસ તો એણે જવાનું જ હતું. એનો શોક શા માટે ? ઊલટું મારી રાગની એક જંજીર છૂટી ગઈ. હવે તો પ્રભુને પ્રેમથી ભજી શકીશ, વધુ નિકટતાથી ભજી શકીશ. એટલે જ નરસિંહ મહેતાના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા કે - ભલું થયું ભાંગી જંજાળ ! - સુખે ભજશું શ્રીગોપાળ !! આ છે પૂર્વિલ સંસ્કૃતિની ઉદાત્તતા ! આની સામે જોઈએ પાશ્ચાત્ય સંસ્કૃતિની દોન ધ્રુવ જેવી કથા - શેક્સપિયરના ધ્યાનમાં એક દિવસ પોતાની પત્નીના ગાલ ઉપર પડેલી કરચલી આવી ગઈ. એ ધ્રૂસકે ધ્રુસકે રડવા માંડ્યો. કોઈકે એને કારણ પૂછ્યું. એણે જવાબ વાળ્યો - “મારી પત્નીના ગાલ ઉપર કરચલી પડી છે. હવે તે ઘરડી થઈ ગઈ. મને છોડીને હવે તે જલદી ચાલી જશે. એના વિયોગની શંકાથી હું રડું છું.” વાત સ્પષ્ટ છે - એકમાં મનની પ્રસન્નતા છે. બીજામાં આર્તધ્યાન, અસમાધિ છે. જે કશું આપણું નથી તે બધામાં મારાપણાની બુદ્ધિ કરીને અત્યાર સુધી દુઃખી થતા આવ્યા છીએ. જો પત્ની વગેરેમાં મારાપણાની બુદ્ધિ ન હોય તો દુઃખી થવાનો પ્રશ્ન જ નથી આવતો. મૂળ વાત એ છે કે - શરીરના કોઈ અંગ ચોરાઈ જાય, આંખ ચાલી જાય, પગ છૂટો પડી જાય છતાં અસમાધિ, આર્તધ્યાન નથી કરવાના. જ્યારે તમારી હાલત તો અત્યારે એવી છે કે એક ચપ્પલ 224