SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્નતાથી ખમી લેવાની તાકાત આપણી ભારતીય સંસ્કૃતિ આપે છે. જ્યારે દુઃખની આશંકા માત્રથી જ તેનો પ્રતીકાર કરવાના વિવિધ વિકલ્પોમાં અટવાઈ દુઃખ આવે તે પહેલાં જ અસમાધિને નોતરી લાવવાનું કામ પાશ્ચાત્ય સંસ્કૃતિ કરે છે. બન્નેના સ્પષ્ટ ઉદાહરણ છે. ભજન કરતા નરસિંહ મહેતાને સમાચાર મળ્યા કે - તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે. મહેતા સમજે છે કે જીંદગીભર મારો સાથ નિભાવનારી આ પત્ની હતી. છતાં એક દિવસ તો એણે જવાનું જ હતું. એનો શોક શા માટે ? ઊલટું મારી રાગની એક જંજીર છૂટી ગઈ. હવે તો પ્રભુને પ્રેમથી ભજી શકીશ, વધુ નિકટતાથી ભજી શકીશ. એટલે જ નરસિંહ મહેતાના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા કે - ભલું થયું ભાંગી જંજાળ ! - સુખે ભજશું શ્રીગોપાળ !! આ છે પૂર્વિલ સંસ્કૃતિની ઉદાત્તતા ! આની સામે જોઈએ પાશ્ચાત્ય સંસ્કૃતિની દોન ધ્રુવ જેવી કથા - શેક્સપિયરના ધ્યાનમાં એક દિવસ પોતાની પત્નીના ગાલ ઉપર પડેલી કરચલી આવી ગઈ. એ ધ્રૂસકે ધ્રુસકે રડવા માંડ્યો. કોઈકે એને કારણ પૂછ્યું. એણે જવાબ વાળ્યો - “મારી પત્નીના ગાલ ઉપર કરચલી પડી છે. હવે તે ઘરડી થઈ ગઈ. મને છોડીને હવે તે જલદી ચાલી જશે. એના વિયોગની શંકાથી હું રડું છું.” વાત સ્પષ્ટ છે - એકમાં મનની પ્રસન્નતા છે. બીજામાં આર્તધ્યાન, અસમાધિ છે. જે કશું આપણું નથી તે બધામાં મારાપણાની બુદ્ધિ કરીને અત્યાર સુધી દુઃખી થતા આવ્યા છીએ. જો પત્ની વગેરેમાં મારાપણાની બુદ્ધિ ન હોય તો દુઃખી થવાનો પ્રશ્ન જ નથી આવતો. મૂળ વાત એ છે કે - શરીરના કોઈ અંગ ચોરાઈ જાય, આંખ ચાલી જાય, પગ છૂટો પડી જાય છતાં અસમાધિ, આર્તધ્યાન નથી કરવાના. જ્યારે તમારી હાલત તો અત્યારે એવી છે કે એક ચપ્પલ 224
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy