________________ - * - -* અડદિયાને ખાવાની સીઝન શિયાળો છે, ઉનાળો નહીં. ઉનાળામાં અડદિયાને ઠોકનારી જાતને નુકસાન કર્યા વિના રહેતો નથી. શ્રીખંડ ખાવાની સીઝન ઉનાળો છે, શિયાળો નહીં. હિમાલયના બર્ફીલા પ્રદેશમાં શિયાળામાં શ્રીખંડ ખાનારો ન્યુમોનિયાથી ઘેરાયા વિના રહેતો નથી. આ જ વાત આપણને લાગુ પડે છે. મગજમાં એક સીઝન પોલિસીનું બોર્ડ લગાવી દેવા જેવું છે - “સ્વભાવને સુધારવા માટે મળેલો માનવભવ એ ક્રોધ કરવા માટેની સીઝન નથી. ક્રોધ વાઘ-વરુ-દીપડાને શોભે, નારકીને શોભે, માનવને નહીં. આ તો ક્ષમાની સીઝન છે.” season To Forgive & Forget. ચાર ગતિમાં સૌથી વધુ ક્રોધની ઉત્કટતા નરકમાં હોય છે. કંઈક અંશે તિર્યંચ ગતિમાં પણ હોય છે. વાઘ-વરુ-દીપડા જન્મજાત વૈરવૃત્તિ અને ક્રોધવૃત્તિને વધારનારા હોય છે. જે ભવમાંથી મોક્ષે જવાની સાધના