SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ જ્યારે વર્તમાનમાં અન્ય કોઈ વ્યક્તિના માધ્યમે પોતે ભોગવી રહેલ હોય ત્યારે તે વ્યક્તિ ઉપર ગુસ્સો કેમ આવે ? જેમ જે વસ્તુ કેસેટમાં રેકર્ડ ન કરી હોય તે કદી પણ કેસેટના માધ્યમે સાંભળી શકાય નહીં તે જ રીતે જે વસ્તુ પૂર્વભવમાં આપણે આચરી ન હોય તેના ફળ તરીકે વર્તમાનમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. કેસેટમાંથી જેટલું પણ સંભળાય તેના દ્વારા એક નિશ્ચય થઈ જાય કે - આ બધું રેકર્ડ કરેલું જ છે. જો આ બધું રેકર્ડ ન કર્યું હોત તો તે તમને સંભળાય તેવી શક્યતા નથી. તેમ જ્યારે જ્યારે પણ દુઃખ, દર્દ, અપમાન આવી પડે ત્યારે નિશ્ચ સમજી રાખવું કે આ પૂર્વજન્મના મારા જ દુષ્કતના ફળ રૂપે આવેલ છે. જો તમે પૂર્વભવમાં કોઈ દુષ્કૃત ન જ કર્યા હોત તો કદાપિ આ ભવમાં તમને દુઃખ-દર્દ મળી શકે નહીં. એક વાત સમજી રાખવા જેવી છે કે - દુન્યવી કેસેટમાંથી ઘોઘરો અવાજ કે જે પૂર્વે તમે જ રેકર્ડ કરેલ હોય તે નીકળે અને તમને તે ન ગમે તો ટેપ તમે બંધ કરી શકો છો, કેસેટ ફેંકી દઈ શકો છો. તેને સાંભળવી જ પડે તેવો કોઈ નિયમ નથી. જ્યારે આ કર્મરાજાની કેસેટ તમારે સાંભળવી જ પડે છે, તેનો કોઈ ઈલાજ નથી. જો તે સાંભળતા સાંભળતા હાયવોય કરો તો પાછું તેવું જ ઘોઘરું સંગીત ફરી-ફરીને રેકર્ડ થયે રાખે. માટે, તે વખતે જો સમતાથી તે સાંભળી લો તો જ છૂટકારો થઈ શકે તેમ છે. }''1) ટૂંકમાં, કેસેટ પોલિસી એટલું જ કહેવા માંગે છે - “મૂર્ખ માનવી! તેં પોતે જ રેકર્ડ કરેલો ઘોઘરો અવાજ કેસેટના માધ્યમે = સામેવાળી વ્યક્તિના માધ્યમે તું સાંભળી રહ્યો છે. તેમાં સામેવાળી વ્યક્તિને શાને માટે દોષિત માની લઈ તેના ઉપર ગુસ્સો ઉતારે છે ? તે ગુનેગાર નથી. ગુનેગાર તું છે. તારી જાત ઉપર ગુસ્સો કરવો ફાવશે?” શું આ કેસેટ પોલિસી અપનાવવી ફાવશે ? 189
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy