SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ RA. જ તેને વધુ હેરાન કરો તો કોર્ટ તમને સજા કરવાની જ છે. કારણ કે સજા કરવાનું કામ કોર્ટનું છે, આમ આદમીનું નહીં. કર્મસત્તાને ત્યાં પણ આ જ જાય છે. કર્મસત્તા કહે છે કે “તને હેરાન કરનારને હું હેરાન કરીશ - એની ગેરંટી મારી. જો એ ખોટો હશે તો કઠોરમાં કઠોર સજા હું એને કરીશ - મારી ગેરંટી. પણ, જો તું સજા કરવા ગયો, તેં તારી સ્વસ્થતા ગુમાવી તો તને પણ હું સજા કર્યા વિના નહીં રહે. કારણ કે કાનૂનને હાથમાં લેવાનો અધિકાર તને નથી.” માટે, સામેવાળો સરાસર અન્યાય કરે છતાં મનની પ્રસન્નતા અકબંધ રાખવાની ફરજ તમારી છે. તો જ કેવલજ્ઞાન મળશે. માટે જ જ્યારે સામેવાળાને બે ચોપડવામાં આવે ત્યારે જ કર્મસત્તા તેમને ચાર ‘ચોપડવાનું નક્કી કરી દે છે !!! કોઈ ગુસ્સો કરે ત્યારે સામે તેને ચાર સંભળાવી ચૂપ કરી દેનાર વ્યક્તિ દુનિયાની દષ્ટિએ ભલે બાહોશ ગણાય. પણ, ધર્મની દૃષ્ટિએ તો તે બેવકૂફ છે. જ્યારે પણ આપત્તિ વરસે ત્યારે તમારી ફરજ માત્ર પ્રભુભક્તિના પેટાળમાં ઉતરી જવાની છે. સામો ગુસ્સો કરવાનો અધિકાર તમને લેશ પણ નથી. જો ગુસ્સો કરવા ગયા તો બેવકૂફ બનવાનું થાય. માટે જ જ્યારે રાણાએ ઝેરના કટોરા મોકલ્યા, ત્યારે પ્રભુભક્તિના અતલ ઊંડાણમાં રમતી મીરાએ એ ઝેરના કટોરા હસતા હસતા ઉતારી લીધા. નરસિંહ મહેતા પણ જૂનાગઢના રાજા માંડલિક દ્વારા ઊભી કરવામાં આવતી આપત્તિમાં પ્રભુભક્તિનું જ શરણું સ્વીકારે છે. અવધૂત આનંદઘનજી મહારાજ પણ જ્યારે ગોચરી જાય ત્યારે ઘરના દરવાજા બંધ કરી દેતા લોકોને કોઈ પ્રભુભક્તિનું મસ્ત પદ લલકારે છે - આશા ઓરન કી ક્યાં કીજે ? જ્ઞાનસુધારસ પીજે !!!... અને મસ્તીથી પ્રભુભક્તિના ઊંડાણમાં ઉતરી જાય છે. કર્મસત્તા હેરાન કરવા માટે બધું કરી છૂટે છે. છતાં પ્રભુભક્તિના રસિયા આ જીવોને જાણે કશી અસર જ નથી. આપત્તિના સમયમાં શરીરને વળગવું, સંપત્તિને સાચવવી - તે બધું સપાટી ઉપર રમવા જેવું છે. સપાટી ઉપર રમનાર વ્યક્તિ 109
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy