SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નગરમાં લક્ષમીધર શેઠની લક્ષ્મીવતી ભાર્યાની કૂખે પુત્રી રૂપે અવતરી, નામ ભવાની રાખવામાં આવ્યું પૂર્વભવમાં ઘણાં પાપો કર્યા હતાં, વળી નિયમન . ભંગ પણ કર્યો હતો, એટલે જન્મથી જ તેને મહારોગે લાગુ પડયા અને તે ખૂબ ખૂબ રિબાવા લાગી, પણ આયુષ્યરેખા બળવાન હતી એટલે તે મેટી થઈ અને યુવાવસ્થામાં આવી. પરંતુ એ યુવાવસ્થા તેને શાપ સમાન થઈ પડી, કારણ કે કઈ એ તેને હાથ ગ્રહણ કર્યો નહિ. આથી અત્યંત નિરાશ થઈને તે એક વિદુષી સાધ્વીજી મહારાજ પાસે ગઈ અને પૂછવા લાગી કે, “આપની પાસે એવું કોઈ ઔષધ છે કે જે મારી જન્મની વ્યાધિ ટાળે ?' સાધ્વીજી ભગવંતે કહ્યું કે “હા, અમારી પાસે એવું ઔષધ છે કે આ જન્મના જ નહિ, પણ જન્મોજન્મના વ્યાધિને દૂર કરે.” પછી તેમણે તેને ધમને ઉપદેશ દીધો અને વિરતિ એટલે વ્રત-નિયમનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારે ભવાનીએ પ્રશ્ન કર્યો કે, “આ મહારોગે કયાં પાપોનું ફળ હશે ? સાદવીજી ભગવંત અવધિજ્ઞાનવાળાં હતાં, એટલે તેમણે તેના પૂર્વભવ કહ્યા અને અભણ્યનો નિયમ લઈને કેવી રીતે ભાંગે, તે વગેરે જણાવ્યું. આ હકીકત સાંભળતાં ભવાનીને જતિસમરણ જ્ઞાન થયું અને પ્રતિબોધ પામી રામ્યફ વ મૂળ શ્રાવકેનાં બાર વ્રત ગ્રહણ કર્યા, તથા સાતમા ભેગો પગ-પરિમાણ વ્રતમાં સર્વ અભક્ષ્યોનો. ત્યાગ કરીને માત્ર થોડી ખાનપાનની જરૂરી વસ્તુઓની જ છૂટ રાખી. તે આ રીતેઃ પીવામાં ત્રણવાર ઉકાળેલું, 1 . 1
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy