SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ માટે છે. ઉત્કૃષ્ટ શ્રાવકચર્યાનું પાલન કરનાર સંવાસાનુમતિ શ્રાવક પણ આહાર સંબંધી દેષ લગાડતું નથી. હવે બાકી રહ્યા ધર્મશ્રદ્ધાળું ગૃહસ્થ વર્ગ. એમના માટે જેમ બને તેમ આહાર સંબંધી અ૮૫ આરંભ– સમારંભ, અધિક હિંસાવાળા અભક્ષ્ય આહારનો ત્યાગ તથા રસની આસક્તિના મારણ માટે તપ-ત્યાગ વગેરેને અભ્યાસ કરવો જરૂરી છે. શરીરને જેવો આહાર આપીએ છીએ તે મુજબ રસ-લેહી બને છે. તે મુજબ મનની વિચારસરણી અને આત્માની પ્રકૃતિ-વિકૃતિ બને છે. આત્માને મૂળ સ્વભાવ પ્રગટ કરવા માટે અનંતજ્ઞાની મહાપુરુષો પ્રથમ પાયામાં અભક્ષ્ય પદાર્થના ખાન-પાનને સંપૂર્ણ ત્યાગ સાથે આહાર સંજ્ઞાને જીતવા અહિંસા-સંયમ–તપ કેળવવાનું કહે છે. માટે શરીર એ આત્માનું દુમન ન બની જાય તે માટે ખૂબ કાળજી કરવાની છે. અન્યથા અગ્ય આહારથી નાશવંત શરીર છૂટી જશે પણ તેના બદલામાં કર્મને આકરો દંડ દીર્ઘકાળ સુધી આત્માને નવા નવા શરીરથી ભેગવવાનો રહેશે. શરીરને સાચવવા કેવો વિવેક જરૂરી છે તે દેહ અને આત્માના સંબંધ ઉપર જ્ઞાતાધર્મનું ઉદાહરણ :
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy