SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 12 , અગણિત લાભે વિજ્ઞાનની દૃષ્ટિએ પુરવાર કરી તેના પ્રચાર અર્થે ભગીરથ પ્રયત્નો કર્યા છે. તેમણે બ્રહ્મચર્યના સાધક માટે આહારની બાબતમાં નીચે મુજબ ભલામણ કરી છેઃ (1) મિતાહારી થવું, રાક બને ત્યાં સુધી સાત્વિક ખાવો. ફક્ત જીવવાની ખાતર જ ખાવું. સ્વાદ અર્થે એક કોળિયો પણ અધિક આહાર લે નહિ, તથા વિકાર-વાસના, તામસભાવ જગાડે તેવો (અભય) આહાર લે નહી. (2) તેલ, મરચાં, મરી, રાઈ, અથાણાં ઈત્યાદિ પદાર્થો શરીરમાં આળસ ઉત્પન્ન કરે છે. પસીનામાં દુર્ગંધ લાવે છે, તેમજ કામોત્તેજક છે તેથી છેડી દેવાં. મીઠું –લૂણ બનતાં સુધી વાપરવું નહી. દરેક પ્રકારના તામસી આહાર, અતિ ખાટા, અતિ તીખા, અતિ કડવા તેમજ વાસી આહાર તજી દેવા. (3) દારૂ અને તમાકુ જેવી મનુષ્યને ભ્રષ્ટ કરનારી બીજી કઈ વસ્તુ નથી. માટે બ્રહ્મચર્ય—સાધકે તેને સદૈવ ત્યાગ કરવો જોઈએ. જે માણસ એ કુટેવને વળગી રહે તે બ્રહ્મચર્યવ્રત પાળવા અશક્ત બને છે. (4) કંદોઈની દુકાને વેચાતી તેમજ બહારની તમામ મીઠાઈઓ, ભજીયાં, તળેલા પદાર્થોને સદંતર ત્યાગ કરે. આ રીતે પૂર્વના મહર્ષિઓએ અને આધુનિક વિચારકોએ પણ આહાર-શુદ્ધિની આવશ્યકતા સ્વીકારી છે, તેથી અભક્ષ્યનો ત્યાગ કર અને ભક્ષ્ય વસ્તુથી સંતોષ માનો એ સોનું કર્તવ્ય છે અને જીવનશુદ્ધિને પાયો છે.
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy