SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં ભારે ભૂલ કરી હતી અને પરિણામે લીઝીગની મહત્તવની લડાઈમાં તેને હાર ખમવી પડી હતી. રેજનાં દૈનિકપત્રો નાનીશી બાબતમાં છરી, ચપુના ઘા, ઠંડાબાજી, મારામારી અને કાપાકાપી વગેરે કરપીણ ખૂનના બનાવે, બળાત્કારના, અગ્નિસ્નાન, કૂવા પૂરવાના કિસ્સાઓ વાંચવા મળે છે, જેની પાછળ માંસમંદિરા કે ડુંગળી-લસણ જેવા તામસી ખોરાક છે કે જે વાતવાતમાં ક્રોધ-ઉશ્કેરાટ જગાડે છે. મન ઉપરને કાબૂ ગુમાવી બેસતાં માણસથી અયોગ્ય પગલાં લેવાઈ જતાં વાર લાગતી નથી અને પાછળથી પસ્તાવાને પાર રહેતું નથી, કે મેં મૂખે આ ગંભીર ભૂલ કક્યાં કરી ? મેટા ભાગના શારીરિક રોગો અભક્ષ્ય ખાનપાનનું પરિણામ છે એમ અનુભવી વૈદ્ય–ડોકટરોના અનુભવે કહે છે. માટે ભેજનમાં અભ=ન ખાવા લાયક, ભક્ષ્યને= ખાવા લાયકનો વિચાર–વિવેક જરૂરી છે. - 2. આહાર-શુદ્ધિ દ્વારા આત્મ-શુદ્ધિ - તંદુરસ્તી માટે જેમ શુદ્ધ આહારની જરૂર છે, તેમ શુદ્ધ વર્તનની પણ જરૂર છે. વર્તન માટે આરોગ્યશાસ્ત્રમાં વિહાર શબ્દ વાપર્યો છે. હિત–આહારની સાથે હિત– વિહારનું સેવન કરનારા જ તંદુરસ્તી ભેગવી શકે છે. અમૃત જે આહાર પણ અહિત વિહારના કારણે ઝેર બની જાય છે. આહાર પચ્ય હોય છતાં જીમની લાલચને વશ થઈ અકરાંતિયા બનીને ખાવામાં આવે તો તે કારણે ખટાશ અને અપચો પેદા થાય છે. આરોગ્યશાસ્ત્રના નિયમ
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy