SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 32 વધારે ખાવાથી, તથા પ્રજનન ગ્રંથિઓ ઉપર વધારે પડતું દબાણન લાવવા માટે આંતરડાના અન્નમાર્ગને ઠાંસી ઠાંસીને ખાઈને અવધવાથી પણ દૂર રહેવાનું જરૂરી છે. ઉંઘ દરમિયાન પ્રજનન ગ્રંથિઓ ઉપર થતું દબાણ અટકાવવા માટે અને કામવિષયક સ્વપ્નાં ટાળવા માટે સૂતાં પહેલાં થોડા કલાક દરમિયાન કાંઈપણ ખાવાનું કે પીવાનું ન રાખવું એ ઉત્તમ છે. એકીસાથે બે દિવસ સુધી ફળો અને શાકભાજીના રસે પર રહેવાનું તથા વચમાં વચમાં એક આખા દિવસનો નકોરડો ઉપવાસ કરવાનું અનેક રીતે કિંમતી સાબિત થશે. ઉપરોક્ત અભિપ્રાય પર્વ તિથિઓએ ઉપવાસ કરવાની વાતને સમર્થન કરે છે. ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગના તપની સાર્થકતાને સિદ્ધ કરે છે. # ૩ર વર્ષથી આધ્યાત્મિક રેશનીથી ઝળહળતું, * મનનીય–બોધક–રોચક શૈલીમાં મુંઝવતા પ્રશ્નોનું સમાધાન આપતું, સંવેગ-વૈરાગ્ય-તત્ત્વરસ ઝરતું, આપણા પૂર્વજોની ગૌરવગાથા ગાતું, પૂ. આ. શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી રત્નસુંદરવિજ્યજી મ. ને ચિંતનીય પ્રવચનોને દર શનિવારે પ્રગટ કરતું દિવ્યદર્શન સાપ્તાહિક વાંચી-વિચારી જીવનને પાવન કરે. વાર્ષિક લવાજમ રૂા. 20 આજીવન સભ્ય રૂા. 151 લખે : કુમારપાળ વી. શાહ, 68, ગુલાલવાડી, ૩જે માળે, મુંબઈ-૪ ફોન : 38853
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy