SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 231 ચારે અજાણ્યાં ફળ ખાવાથી વિષને વશ થઈ મરણ પામ્યા. હતા, તેની કથા આ પ્રમાણે છે : જંગલમાં ધાડપાડુઓની ટુકડીના અગ્રણી બનેલા. વંકચૂલે ભારે વરસાદથી ઠેરઠેર પાણું–કાદવ-વનસ્પતિ–લીલ થતાં દયાનું સૂમ પાલન કરનારા જૈનમુનિઓને ચાતુર્માસ માટે રહેવાને આશ્રય આપ્યો અને બનતી સેવા કરી. ચોમાસા બાદ રસ્તા સ્વચ્છ થતાં મુનિઓએ વિહાર કર્યો... અને વંકચૂલને સુંદર બેઘ આપ્યું કે એક નાનું કે મોટું પાપનું આચરણ, ઉચ્ચાર કે વિચાર જીવને કર્મના દંડથી. મહાદુઃખની સજા કરે છે માટે તેને જેટલો ત્યાગ અને તે દુઃખથી મુક્ત થવાનો રસ્તો છે. વંકચૂલ પાળી શકાય તેવા નિયમ લેવા માટે ઉત્સાહી બન્યો. આથી મુનિ મહારાજે વંકચૂલનું જીવન સુધારવા માટે ચાર નિયમ આપેલ તે આ મુજબ -(1) અજાણ્યાં ફળ ખાવાં નહિ, (2) કેઈના. પર ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા ફરી જવું, (3) રાજાની સ્ત્રી સાથે પ્રીત કરવી નહિ, (4) કાગડાનું માંસ ખાવું નહિ.' આ પ્રમાણે નિયમ લીધેલ, ત્યારબાદ એક વખત વંકચૂલ પિતાની ટેળી સાથે ચોરી કરવા નીકળે. મેટા સાર્થમાં જમ્બર ભંગાણ પાડયું, ધનમાલ લૂંટી લીધા, અઢળક સંપત્તિ હાથ કરી વંકચૂલ અને બીજા ચેરો. પલાયન થઈ ગયા. બધા જ એક મોટા જંગલમાં આવ્યા. તે વખતે દરેકને ભૂખ લાગેલી. ચારે બાજુ આહારની શોધમાં ફરી આવ્યા, એક ઝાડ પર સુંદર ફળ જોઈ બધા ત્યાં તૂટી પડયા અને ફળ લઈને વંકચૂલ આગળ લાવ્યા.
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy