SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 228 આપણાથી મરે નહિ માટે કાચાં ગેરસ સાથે વિદળને ત્યાગ કરવાનું છે, શ્રી શ્રાદ્ધવૃત્તિ તથા સંબધ પ્રકરણમાં કહ્યું છે કે –સર્વ દેશમાં સર્વકાળમાં કાચાં ગેરસથી યુક્ત સઘળાં (અનંતકાય) ના જી ઉત્પન્ન થાય છે. મહાભારતમાં પણ કહ્યું છે કે - “કાચા ગોરસને અડદમાં તથા મગ વગેરે સાથે ભોજન કરવું તે હે યુધિષ્ઠિર ! તે નિશ્ચયે માંસ બરાબર છે.” - રઈ કરનારે તથા ભેજન જમનારે આ વિદળમાં અભય ન થાય તથા સામુદાયિક ભેજનમાં જમનારાઓને આ દોષ ન લાગે તેની પૂરી કાળજી રાખવી જરૂરી છે. શીખંડના ભજન સાથે મગની દાળ, ચણાના લોટની કઢી, પત્તરવેલિયા, ભજિયામેથીના સંભારનું અથાણું, કઠોળનું લીલું કે સૂકું શાક વગેરે સાથે રખાય નહી... (કઢીમાં ચોખાને લેટ નાંખવાથી વિદળ થતું નથી.) કાચું રાયતું-છાશ દહીં લેવાં હોય તે દાળ-કઢીની વાટકીમાં કે ભેજનની થાળીમાં ન લેવાં, પરંતુ હાથ–મુખની શુદ્ધિ કરીને જુદા ભાજનમાં લેવાં..
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy