SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિત છે. તેમાં કઈ પણ જાતનું અભક્ષ્ય બરફ–આઈસક્રીમવિદળ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવી જરૂરી છે. ચઉવિહાર-તિવિહાર-દુવિહારની સમજ : આહાર ચાર પ્રકારનું માનવામાં આવ્યો છેઃ (1) અશન (2) પાન (3) ખાદિમ અને (4) સ્વાદિમ. તેમાં ઉદસ્તૃપ્તિ કરી શકે તેવા રોટલી, ભાત, પક્વાન્ન, દૂધ વગેરે પદાર્થોને અશન કહેવાય છે. સ્વચ્છ પાણીને પાન કહેવાય છે. ફલ તથા સૂકા મેવો વગેરે જે પદાર્થો અમુક અંશે ઉદરતૃપ્તિ કરી શકે તેને ખાદિમ કહેવાય છે, અને મુખવાસને ચોગ્ય પદાર્થોને સ્વાદિમ કહેવાય છે. આ ચારે પ્રકારના આહારનો સૂર્યાસ્ત થતાં ત્યાગ કરવો ઘટે છે. (1) આ રીતે ચારે આહારને ત્યાગ કરીને લેવામાં આવતું પચ્ચક્ખાણ ચવિહાર કહેવાય છે, (2) જેને માત્ર પાણી પીવાની છૂટ રાખવી હોય તેને અશન-ખાદિમ અને સ્વાદિમ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ સૂર્યાસ્ત થતાં પહેલાં કરી દેવાનો હોય છે એને તિવિહાર પચ્ચક્ખાણ લેવાનું. (3) જેને પાણી તથા સ્વાદિમમાં દવાની ટીકડી વગેરે લેવાં પડતાં હોય તેને અશન અને ખાદિમ એમ બે આહારનો ત્યાગ સૂર્યાસ્ત થતાં કરી દુવિહારનું પચ્ચકખાણ લેવાનું. ભોજનમાં શુદ્ધ ભાંગે ? (1) દિવસે બનાવેલું ભેજન રાત્રે ખાવું-અશુદ્ધ (2) વિએ બનાવેલું રાત્રિએ ખાવું-અશુદ્ધ (2) શત્રિએ બુનાવેલું દિવસે ખાવું–અશુદ્ધ
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy