SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 186 રાખીને કેટરો પણ આહારને સમય બદલી સ્વાશ્યરક્ષાનું કિંમતી સૂચન કરે છે. તે * ડે. રમેશચંદ્ર મિશ્ર જણાવે છે કે ભારતમાં પેટની બીમારી માટે અયોગ્ય ભેજન તેમજ સૂર્યાસ્ત. પછીનું રાત્રિભેજન જવાબદાર છે. તેઓ જણાવે છે કે બહારથી સ્વસ્થ દેખાતી ચાલીસ વર્ષની એક મહિલાને પૂછતાં તેણીએ જણાવ્યું કે રાત્રિના જમ્યા બાદ સૂતાં શ્વાસનું દરદ ઉપડે છે, શરીરે પસીને પસીને થઈ જાય છે, ગભરામણ થાય છે. આથી હૃદયની બીમારીની શંકાથી બાર વાર કાર્ડિયેગ્રામ લેવરાવ્યા, પણ તેમાં હૃદયની કઈ બીમારી જણાઈ નહિ. આ મૂંઝવણના ઉકેલમાં ડેકટરે. વિચાર્યું કે આ બાઈ શ્રમ લેતી નથી. પરાઠા અને મસાલાવાળા શાકભાજી રાત્રે ખાઈને સૂતાં ખૂબ તકલીફ અનુભવે છે. તેથી જમવાને સમય સૂર્યાસ્ત પહેલાં કરાવ્યું. પરેઠી–મસાલા ઓછા કરી તથા શ્રમ–વ્યાયામ કરવા ભલામણ કરતાં બે અઠવાડિયામાં સારો આરામ થઈ ગયો. અધિક પડતી બીમારી રાત્રિભોજનથી, અનિયમિત ખાનપાનથી થાય છે, તથા દિવસ-રાત પાન-સોપારી ચાવવાથી તથા બીડી, સિગારેટ, ચાની પ્રવૃત્તિથી મોઢામાં કેન્સર વગેરે રેગ થતાં સ્વાસ્થને નાશ કરે છે. રાત્રિભેજન પરિહરવામાં ધાર્મિક અને શારીરિક લાભ પણ ઘણે છે, જે ઉભયલોકમાં સુખકારી છે. દશ દષ્ટાંતે દુર્લભ એ આ અનંતી પુણ્યરાશિથી મળેલો. મનુષ્ય જન્મ, તેમાં પણ ચિંતામણિ રત્નથી અધિક
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy