SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર ખેરાકથી પિષણ પામેલાં બચ્ચાંઓ રોગરહિત તથા કૌવતથી ભરપૂર રહેવાં જોઈએ. (12) મિસ્ટર ફલેમીગ કહે છે કે માંસ કપાયા પછી પ્રાણીને થતા રોગોની પરીક્ષા તેની આબાદ અવસ્થામાં થતી નથી. તેથી તેના રોગને વારસો માંસાહારીને પ્રાપ્ત થાય છે, અને જીવનને જોખમમાં મૂકી દે છે. (13) ડે. કેમેરને અનુભવથી કહ્યું છે કે મોઢામાં તથા પગમાં થતા સોજાને રોગ તે ખરેખર પશુઓનો જ છે. તે માંસના ખોરાક સાથે માણસના શરીરમાં દાખલ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરને નિર્દયતા સામે સક્રિય વિરોધ : એનિમલ વેલફેર બોર્ડ તરફથી પ્રગટ થતા “એનિમલ સિટીઝન” નામના ત્રિમાસિકના છેલા અંકમાં જણાવવામાં આવ્યું છે કે : જ્યારે હું નદી પ્રત્યે જતો હતો ત્યારે એકાએક મેં એક વિચિત્ર લાગતા પક્ષીને સામે પાર જવા માટે મુસીબતથી પ્રવાહમાં તરતુ જોયું અને એકાએક કેઈ સનસનાટી થઈ. મને જણાયું કે એ એક પાળેલ મુરઘો હતો, જેણે કપાતાં બચવા માટે પાણીમાં ઝંપલાવ્યું અને હવે કિનારે પહોંચવા મરણતોલ પ્રયાસો કરી રહ્યો હતો. તે લગભગ કિનારે પહોંચે ત્યાં તે તેના નિર્દય હત્યારાઓએ તેને પકડી. પાડ અને ગરદન પકડી રસોઈયાને સોંપ્યો. મેં રસોઈયાને તરત જ જણાવી દીધું કે હું ખાણમાં માંસ ખાઈશ નહિ.” મારો નિર્ણય થઈ ચૂક્યો કે માંસાહાર છોડવો જ જોઈએ. માંસાહારીઓ માંસ ખાય છે, કારણ તેઓ માંસ માટે થતા પાપ અને નિર્દયતાને વિચાર કરતા નથી. માનવસર્જિત એવા ઘણા ગુનાઓ, છે, જેનું પાપ અને અનૈતિકતા, આદતો અને પ્રણાલીના દબાણથી ભુલાઈ જાય છે. પણ નિર્દયતા એ એવો બનાવ નથી; એ મૂળભૂત પાપ છે અને તેની વિરૂદ્ધ હાઈ કોઈ દલીલ કે અપવાદ લાગુ પડતા નથી. જે માત્ર આપણે આપણું હૃદયને નિષ્ફર ન બનવા.
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy