SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ વધ્યો એ સરસ થયું. તને શું, મને પણ એમજ લાગતું. પરંતુ એ તો જ્યારે એના ભયંકર પરિણામની પરંપરા જોઈએ ત્યારે જ સમજાય છે કે જ્ઞાનીઓએ આધિ-ઉપાધિને કેઈ અનર્થોની ખાણ કહી છે તે તદ્દન યથાર્થ છે. પ્રેમ વધાર્યો એ ઉપાધિ જ વધારી હતી, આધિ જ વધારી હતી. એમાં કારણભૂત મારી જીવનભર એકપત્નીવ્રતની પ્રતિજ્ઞા હતી. પણ તે તું સમજતો હશે કે સદાચારની ભાવનામાંથી જન્મી હતી ? ના, સદાચાર-પ્રેમી તો હું પહેલેથી હતો જ, પરંતુ એક પત્ની મર્યા પછી પણ બીજી પત્ની ય ન કરવી એવું કાંઈ મેં નક્કી નહોતું કર્યું, તે નક્કી કર્યું તેમાં આ પત્ની ઉપર અથાગ મોહ અને તેના રુદનથી લેવાઈ જવાપણું હતું. તો આ ય એક આધિનો વધારો જ ને ? હે ભાગ્યવાન ! માટે એ જો કે દેખીતા કેટલાક ગુણો પણ દોષના ઘરના હોય છે, એટલે જ એ દોષમાં પરિણમે છે ! પરિણામે દોષરૂપ નીવડે છે ! જીવનભર એકપત્ની વ્રત એ ગુણ છે; પરંતુ એ મારે સ્નેહાળ પત્ની ઉપરના ગાઢ મોહરૂપી દોષમાંથી જન્મ્યો હતો, માટે એ અધિક સ્નેહના બંધનરૂપી દોષમાં પરિણમ્યો. હવે એ આટલેથી અટકવાનો નથી. પણ અધિક અનર્થમાં ને મહાદુઃખમાં પરિણમવાનો છે, એ તને આગળનું સાંભળીશ એટલે સમજાશે.” | મુનિએ સમજાવેલ આ તત્ત્વ બહુ વિચારવા જેવું છે. આજે જડ પદાર્થોનાં સંશોધન, જડની ખાસિયતોનાં પૃથક્કરણ વગેરે બહુ ચાલી પડ્યું છે. પરંતુ આત્મવૃત્તિઓના ઊંડાણમાં ઉતરવાની જરૂર છે. એના પૃથક્કરણ અને સંશોધન કરવાની જ ખાસ જરૂર છે. શું આપણે ગુણરૂપ માની લીધેલ વૃત્તિઓ ખરેખર ગુણસ્વરૂપ છે ? અને છે તો એ કોઈ દોષના લીધે તો નથી જન્મી ને ? એ તપાસવાની જરૂર છે. સંસારમાં રહ્યા એટલે સ્નેહ તો થવાના અને કરવાના, પણ એ સ્નેહને જો મોહના સ્નેહને બદલે ઔચિત્યના સ્નેહ બનાવી દો, ધર્મના સ્નેહ કરી દો, મૈત્રી, કરુણા અને પ્રમોદભાવના સ્નેહરૂપ બનાવી દો, ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy