SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસત્તાનાં નિરંતર ચાલી રહેલ અબાધિત શાસનને ઓળખ. (8) જગતનું કોઈ જ દ્રવ્ય, કોઈ જ વસ્તુ ઉત્પત્તિ, નાશ અને કાયમપણાનાં વર્ચસ્વમાંથી બાદ નથી. તો આત્માને સંપત્તિ-દરિદ્રતા વગેરે ક્યાં કાયમ જ છે ? (9) એકલો પુણ્યોદય જ કે એકલો પાપોદય જ માત્ર આવ્યા જ કરે એવું ક્યાં છે ? કે માત્ર વિખરાઈ જ જાય એવું ક્યાં છે ? આવે છે, જાય છે, આવે છે, જાય છે... એવું ચાલ્યા કરે છે. તો પણ જ્યાં સુધી જીવે વિષય-કષાયો અને કુમતિ-કુપ્રવૃત્તિઓમાં ડૂળ્યા રહેવાનું રાખ્યું હોય ત્યાં સુધી. બાકી તો, (10) એની લત મૂકી દઈ વૈરાગ્ય, ત્યાગ, સણો, સદ્ભાવનાઓ, અને બાહ્ય-આભ્યન્તર તપભર્યા જીવન બનાવાય તો એ શુભાશુભ કર્મનાં ફિંદામાંથી સર્વકાળ માટે છૂટી જવાય છે. (11) “એ ન બને ત્યાં સુધી ઉત્પત્તિ-નાશ-પ્રૌવ્યના મહાશાસનથી બનતી ઘટનાઓ પાછળ હર્ષ-શોકની વિટંબણા તું કાં વહોરે ?...' સમ્યગ્દર્શન હોત તો આવી આવી કઈ હિતશિક્ષા અને પ્રેરણાઓ આપી હોત; અને આધિ-ઉપાધિની આધિ ઓછી કરાવી હોત ! પણ વો દિન કહાં કે મિયાં કે પાંઉ મેં જૂતી ? “સબૂર” અવાજ ફરીથી ? : ચન્દ્ર તો બિચારો માનસિક આધિના તાપમાં તપી રહ્યો છે, એટલે “સબૂર” અવાજ તો સાંભળ્યો, જરાક ખચકાયો ય ખરો, પણ પછી પાછો વળી જુએ છે તો કોઈ દેખાતું નથી, એટલે પાછો પૃપાપાત કરવા હાથ ઊંચા કરી તૈયાર થાય છે. ત્યાં ફરીથી તરત જ “સબૂર' અવાજ આવે છે. એટલે પાછો ચમક્યો, મનોમન વિચારે છે, આ કોણ બોલી રહ્યું છે ?' પાછો વળી ચારે કોર દષ્ટિ નાખે છે, પણ કોઈ નજરે ચઢતું નથી. મનને એમ થાય છે કે, 54 ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy