SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધશિલા 49 સિદ્ધશિલા - પ્રામ્ભારા નામની પૃથ્વીને સિદ્ધશિલા કહેવાય છે. તે ચૌદરાજલોકના શિખરે છે. તે સુંદર છે. તે કપૂર કરતા વધુ સુગંધી છે. તે સૂક્ષ્મ અવયવોવાળી હોવાથી કોમળ છે, તે સ્થૂલ અવયવોવાળી ન હોવાથી કર્કશ નથી. તે પવિત્ર છે. તે શ્રેષ્ઠ તેજથી દેદીપ્યમાન છે. તે મનુષ્યક્ષેત્ર જેટલી, એટલે કે 45 લાખ યોજન, લાંબી-પહોળી છે. તે ચત્તા સફેદ છત્ર જેવી છે. તે બધા શુભના ઉદયવાળી (અસ્તિત્વવાળી) છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર આવેલી છે. તે વચ્ચે 8 યોજન જાડી છે અને છેડે તીક્ષ્ણ ધાર જેવી છે. સિદ્ધશિલા ઉપર સિદ્ધોની સ્થિતિ - સિદ્ધશિલાની ઉપર એક યોજને લોકનો છેડો છે. તે યોજનનો જે ઉપરનો ચોથો ગાઉ છે તેના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે. 1 ગાઉ = 2,000 ધનુષ્ય. 1 ગાઉ = 2,000 ધનુષ્ય = 333 2/3 ધનુષ્ય. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના પણ આટલી જ છે, વધુ નહીં. સિદ્ધોનો આકાર - નિર્વાણ સમયના આકારવાળા બીબામાંથી મીણ નીકળી ગયા પછી તેમાં રહેલા આકાશના આકાર જેવો સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહનાનો આકાર હોય છે. સિદ્ધોના જ્ઞાન-દર્શનનો વિષય - ચૌદ રાજલોકમાં રહેલા જીવ, અજીવ વગેરે બધા પદાર્થોના બધા ગુણો અને બધા પર્યાયોને સિદ્ધભગવંતો એકસાથે વિશેષ ઉપયોગરૂપે જાણે છે અને બીજા સમયે સામાન્ય ઉપયોગરૂપે જુવે છે.
SR No.032801
Book TitlePadarth Prakash 26 Gunsthankramaroh
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages234
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy