SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ 5 169 આહાર-શરીરસત્કાર-અબ્રહ્મ-વ્યાપારના ત્યાગરૂપ પૌષધ કરવો. (5) પ્રતિમાપ્રતિમા - તેમાં 5 મહિના સુધી પર્વતિથિએ એક રાત્રીનો કાઉસ્સગ્ન કરવો. આ પ્રતિમા કરનારો સાત્ત્વિક અને જ્ઞાની હોય. બાકીના દિવસોમાં તે સ્નાન ન કરે, રાત્રિભોજન ન કરે, દિવસે પ્રકાશમાં વાપરે, વસ્ત્રનો કછોટો ન બાંધે, દિવસે બ્રહ્મચર્ય પાળે, રાત્રે સ્ત્રીઓનું કે તેના ભોગોનું પ્રમાણ કરે. કાઉસ્સગ્નમાં તે જિનેશ્વર ભગવંતોનું કે પોતાના દોષોના પ્રતિપક્ષી ઉપાયોનું ધ્યાન કરે. (6) અબ્રહ્મવર્જનપ્રતિમા - તેમાં 6 મહિના સુધી કામકથા, વધુ પડતી વિભૂષા, સ્ત્રીકથા અને અબ્રહ્મનો ત્યાગ કરવો. (7) સચિત્તાહારવર્જનપ્રતિમા - તેમાં છ મહિના સુધી સચિત્ત આહારનો ત્યાગ કરવો. (8) આરંભવર્જનપ્રતિમા - તેમાં 8 મહિના સુધી પૃથ્વી વગેરેની હિંસારૂપ આરંભ પોતે ન કરવો. આજીવિકા માટે નોકરો વગેરે પાસે આરંભ કરાવે. (9) પ્રેથ્રારંભવર્જનપ્રતિમા - તેમાં 9 મહિના સુધી પોતે તો આરંભ ન જ કરવો પણ બીજા પાસે પણ આરંભ ન કરાવવો. (10) ઉદિષ્ટભક્તવર્જનપ્રતિમા - તેમાં 10 મહિના સુધી પોતાને ઉદ્દેશીને બનાવેલું ભોજન ન વાપરવું. તે અસ્ત્રાથી મુંડન કરાવે કે ચોટલી રાખે. પુત્ર વગેરે સ્વજનો ભૂમિ વગેરેમાં દાટેલ ધન વગેરે પૂછે તે પોતે જાણતો હોય તો કહે, ન જાણતો હોય તો “નથી જાણતો એમ કહે. તે સિવાય તે ઘરનું કંઈ પણ કાર્ય ન કરે. (11) શ્રમણભૂતપ્રતિમા - અસ્ત્રાથી મુંડન કરાવે કે લોચ કરાવે, સાધુના બધા ઉપકરણો રાખે, સાધુની જેમ બધી સાધુસામાચારી પાળે, ભિક્ષા લેવા જાય ત્યારે “પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસકને ભિક્ષા
SR No.032801
Book TitlePadarth Prakash 26 Gunsthankramaroh
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages234
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy