________________ પરિશિષ્ટ 4 163 (31) આલુ-બટેટા. (32) ડુંગળી. (8) ત્રીજું ગુણવ્રત - (1) વિવિધ પાપોપદેશ. (2) હિંસક ઉપકરણો આપવા. (3) આર્તધ્યાન-રૌદ્રધ્યાન. (4) પ્રમાદનું આચરણ. આ ચાર પ્રકારના અનર્થદંડથી અટકવું. પ્રમાદ 5 પ્રકારનો છે - (1) મઘ-દારૂ. (2) વિષય. (3) કષાય. (4) નિદ્રા. (5) વિકથા - તે ચાર પ્રકારની છે - (1) રાજકથા - રાજાના યુદ્ધ વગેરેની કથા. (2) સ્ત્રીકથા - સ્ત્રીના રૂપ વગેરેની કથા. (3) દશકથા - દેશની વિવિધ વસ્તુઓ વગેરેની કથા. (4) ભક્તકથા - ભોજનના સ્વાદ વગેરેની કથા. (9) પહેલું શિક્ષાવ્રત-સામાયિક - એક મુહૂર્ત સુધી સાવદ્ય (પાપ લાગે તેવી) પ્રવૃત્તિનો ત્યાગ કરીને સમતામાં રહેવું. (10) બીજું શિક્ષાવ્રત - દેશાવકાશિક - દરરોજ દિશાઓનો સંક્ષેપ કરવો, દરરોજ ચૌદ નિયમોનો સંક્ષેપ કરવો.