SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી 175 અનુભવે. પછી તેઉકાય-વાયુકામાં આવી લાંબો કાળ ઉદ્વલના કરે. તેમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિમાં આ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (15) આહારક 7 :- ૭મા ગુણઠાણે અલ્પકાળ માટે આહારક 7 બાંધીને અવિરતિમાં આવે. ત્યાં અંતર્મુહૂર્ત પછી લાંબો કાળ ઉઠ્ઠલના કરે. તેમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિમાં આહારક ૭નો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (16) તિર્યંચ ર, ઉદ્યોત = 3:- ક્ષપિતકર્માશ જીવ 3 પલ્યોપમ આયુષ્યવાળો મનુષ્ય થાય. ત્યાં આ પ્રકૃતિઓ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી તેની સાથે જ 1 પલ્યોપમ આયુષ્યવાળો દેવ થાય. ત્યાંથી સમ્યક્ત સાથે મનુષ્યમાં આવી રૈવેયકમાં 31 સાગરોપમ આયુષ્યવાળો દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત બાદ મિથ્યાત્વ પામે. સમ્યક્તના કાળમાં સમ્યક્તના કારણે આ પ્રકૃતિઓ બંધાતી નથી. રૈવેયકમાં ભવના કારણે આ પ્રવૃતિઓ બંધાતી નથી. રૈવેયકમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી બે વાર 66 સાગરોપમ સુધી મનુષ્ય-દેવમાં સમ્યક્ત પાળે. પછી અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭મા ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (17) જાતિ 4, સ્થાવર 4, આતપ = 9 :- ક્ષપિતકર્માશ જીવ ૬ઠી નરકમાં 22 સાગરોપમ આયુષ્યવાળો નારક થાય. ત્યાં ભવના કારણે આ પ્રકૃતિઓ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી તેની સાથે મનુષ્યમાં આવી દેશવિરતિ પાળી 4 પલ્યોપમ આયુષ્યવાળો ૧લા દેવલોકમાં દેવ થાય. ત્યાંથી સમ્યક્ત સાથે મનુષ્યમાં આવી સંયમ પાળી 31 સાગરોપમ આયુષ્યવાળો રૈવેયકમાં દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત પછી મિથ્યાત્વ પામે. સમ્યત્ત્વના કાળમાં 13
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy