SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 6 4 જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ (19) આહારક 7 :- કોઈ જીવ દેશોનપૂર્વક્રોવર્ષ સુધી વારંવાર આહારક 7 બાંધે. પછી તેમના બંધવિચ્છેદ સમયે તેને તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (૨૦)બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ 3 = 6 :- કોઈ જીવ સાત વાર પૂર્વક્રોડવર્ષ સુધી તિર્યંચ અને મનુષ્યના ભવોમાં આ પ્રકૃતિઓ બાંધે. તેમના બંધના ચરમ સમયે કે જેના પછીના સમયે તે વિકસેન્દ્રિય વગેરેમાં ઉત્પન્ન થવાનો હોય ત્યારે તેને આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ :- ક્ષપિતકર્માશ જીવને તે તે પ્રકૃતિઓની સત્તાના ચરમ સમયે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ઉકલનાયોગ્ય 27 પ્રકૃતિઓની ઉત્કલના કરનારને તેમની 1 સ્થિતિ બાકી હોય ત્યારે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. કેટલીક પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી વિશેષથી કહેવાય છે - (1) અનંતાનુબંધી 4 :- ક્ષપિતકર્માશ જીવ અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે. પછી તે ૧લા ગુણઠાણે આવી અંતર્મુહૂર્ત સુધી અનંતાનુબંધી 4 બાંધે. પછી તે સમ્યકત્વ પામી 132 સાગરોપમ સુધી તેને પાળે. તેને અંતે તે અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે. તેના ચરમ સમયે તેને અનંતાનુબંધી ૪ની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય = ર :- કોઈ જીવ 132 સાગરોપમ સુધી સમ્યકત્વ પાળે. પછી તે ૧લા ગુણઠાણે જઈ મંદ ઉઠ્ઠલનાથી પલ્યોપમ કાળવાળી સમ્યકૃત્વમોહનીય અસંખ્ય
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy