SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામી 2 1 (૧૧)જાતિ 4, સ્થાવર 4 = 8 :- દેશવિરતિનિમિત્તકગુણશ્રેણિ અને સર્વવિરતિનિમિત્તકગુણશ્રેણિના ભેગા થયેલા શીર્ષ ઉપર રહેલ ગુણિતકર્માશ મિથ્યાષ્ટિ જીવને તે તે પ્રકૃતિઓના ઉદયે તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (12) અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, હાસ્ય 6 = 14:- કોઈ જીવ ઉપશમશ્રેણિ માંડે. તે અંતરકરણ કરવાના સમયની પૂર્વેના સમયે કાળ કરીને દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત પછી તે ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલો હોય ત્યારે તેને આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (૧૩)દેવાયુષ્ય, નરકાયુષ્ય = 2 :- ઉત્કૃષ્ટ બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં આ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ બાંધીને પ્રથમ સ્થિતિમાં ઉત્કૃષ્ટ દલિકનિક્ષેપ કરી મરીને દેવ કે નરક થાય ત્યારે તે ભવના પ્રથમ સમયે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય છે. (14) તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય = 2 :- કોઈ જીવ ઉત્કૃષ્ટ બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં આ પ્રકૃતિઓની 3 પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને શીધ્ર મરીને તિર્યંચમાં કે મનુષ્યમાં ઉત્પન્ન થાય. ત્યાં અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય રાખી તે શેષ આયુષ્યની અપવર્તન કરે. ત્યાર પછીના સમયે તેને આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય છે. (15) દુર્ભગ, અનાદેય, અયશ, નીચગોત્ર = 4 :- કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ દર્શન ૩નો ક્ષય કરે. ત્યારે દર્શન 3 ક્ષપણા નિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે દેશવિરતિ પામે ત્યારે દેશવિરતિ નિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે સર્વવિરતિ પામે ત્યારે સર્વવિરતિ નિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે સંક્લિષ્ટ
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy