SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશઉદયની સાદ્યાદિપ્રરૂપણા પૂર્વે મિથ્યાત્વમોહનીયનો જઘન્ય પ્રદેશઉદય કર્યો નથી તેને તેનો અજઘન્ય પ્રદેશઉદય અનાદિ છે. અભવ્યને મિથ્યાત્વમોહનીયનો અજઘન્ય પ્રદેશઉદય ધ્રુવ છે. ભવ્યને મિથ્યાત્વમોહનીયનો જઘન્ય પ્રદેશઉદય થાય ત્યારે અથવા ઉદયવિચ્છેદ થાય ત્યારે તેનો અજવન્ય પ્રદેશઉદય અધ્રુવ છે. દેશવિરતિની ગુણશ્રેણિમાં વર્તમાન કોઈ ગુણિતકર્માશ જીવ સર્વવિરતિ પામે. તેથી તે સર્વવિરતિ નિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે ૧લા ગુણઠાણે જાય. ત્યાં બન્ને ગુણશ્રેણિના શીર્ષ પર હોય ત્યારે તેને મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય છે. તે 1 સમય થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. મિથ્યાત્વમોહનીયનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદય છે. મિથ્યાત્વમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશઉદયથી પડીને અથવા ઔપશમિક સમ્યકત્વ કે ક્ષાયોપથમિક સભ્યત્વથી પડીને મિથ્યાત્વમોહનીયન અનુત્કૃષ્ટ પ્રદેશઉદય કરે ત્યારે તે સાદિ છે. જેણે મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કર્યો નથી એવા અનાદિ મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વમોહનીયનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય અનાદિ છે. અભવ્યને મિથ્યાત્વમોહનીયનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ધ્રુવ છે. ભવ્યને મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય ત્યારે અથવા સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વમોહનીયનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય અધ્રુવ છે. (3) અધુવોદયી 110 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓ અધુવોદયી હોવાથી તેમનો જઘન્ય પ્રદેશઉદય, અજઘન્ય પ્રદેશઉદય, ઉત્કૃષ્ટ પ્રદેશઉદય અને અનુત્કૃષ્ટ પ્રદેશઉદય સાદિ અને અધ્રુવ છે.
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy