SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળપ્રકૃતિઓમાં પ્રદેશઉદયની સાદ્યાદિપ્રરૂપણા 13 અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદય છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય ત્યારે અથવા ઉદયવિચ્છેદ થાય ત્યારે તેમનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય અધ્રુવ છે. મોહનીય :- ક્ષપિતકર્માશ જીવને અંતરકરણ કર્યા પછી અંતરકરણના અંતે ગોપુચ્છાકારે રહેલા આવલિકા પ્રમાણ દલિકના ચરમ સમયે મોહનીયનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. તે 1 સમય થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. મોહનીયનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અજઘન્ય પ્રદેશઉદય છે. મોહનીયના જઘન્ય પ્રદેશઉદયથી પડીને તેનો અજઘન્ય પ્રદેશઉદય કરે ત્યારે અથવા ઉપશમશ્રેણિથી પડે ત્યારે મોહનીયનો અજઘન્ય પ્રદેશઉદય સાદિ છે. જેણે પૂર્વે મોહનીયનો જઘન્ય પ્રદેશઉદય કર્યો નથી તેને મોહનીયનો અજઘન્ય પ્રદેશઉદય અનાદિ છે. અભવ્યને મોહનીયનો અજઘન્ય પ્રદેશઉદય ધ્રુવ છે. ભવ્યને મોહનીયનો જઘન્ય પ્રદેશઉદય થાય ત્યારે અથવા ઉદયવિચ્છેદ થાય ત્યારે તેનો અજઘન્ય પ્રદેશઉદય અધ્રુવ છે. | ગુણિતકર્માશ જીવને ૧૦મા ગુણઠાણાના ચરમ સમયે મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. તે 1 સમય થતો હોવાથી સાદિ અને અદ્ભવ છે. મોહનીયનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદય છે. ૧૧માં ગુણઠાણેથી પડેલાને મોહનીયનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય સાદિ છે. પૂર્વે ૧૧મુ ગુણઠાણ નહીં પામેલાને મોહનીયનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય અનાદિ છે. અભવ્યને મોહનીયનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ધ્રુવ
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy